Placeholder canvas

ખંડિત મૂર્તિઓ સાચવીને બનાવે છે બાળકો માટે રમકડા અને પક્ષીઓના માળા

ખંડિત મૂર્તિઓ સાચવીને બનાવે છે બાળકો માટે રમકડા અને પક્ષીઓના માળા

ભગવાનની તૂટી ગયેલી મૂર્તિ અને ફોટાની અવગણના થતા જોઈને, નાસિકની તૃપ્તિ ગાયકવાડે તેના મિત્રો સાથે પ્રોજેક્ટ "સંપૂર્ણમ" શરૂ કર્યો.

ઘણી વખત જ્યારે ઘરમાં મૂર્તિઓ તૂટી જાય છે અથવા પૂજાની વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે, ત્યારે લોકો તેને મોટા વૃક્ષની નીચે અથવા નદી અથવા તળાવમાં ફેંકી દે છે. કારણ કે ભગવાન સાથે જોડાયેલી આ વસ્તુઓને પાણીમાં ડૂબાડવી આપણી સંસ્કૃતિમાં છે અને તે વર્ષોથી થઈ રહ્યું છે. પરંતુ શું તમે પાણીમાં ડૂબવા પાછળનું સત્ય જાણો છો?

નાસિકની રહેવાસી તૃપ્તિ ગાયકવાડ કહે છે, “આપણી સંસ્કૃતિમાં હંમેશા મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. પૂજા પછી પણ તે મૂર્તિઓમાં સકારાત્મક ઉર્જા હોય છે, જે તેને વહેતા પાણીમાં રેડીને સર્વત્ર ફેલાવે છે. પરંતુ આ કલ્પના માટીના શિલ્પો માટે હતી, જેને આપણે આધુનિક શિલ્પો સાથે પણ જોડીએ છીએ. ઘણા લોકોએ નદીમાં મૂર્તિઓ તેમજ ફોટો ફ્રેમ પણ પધરાવવાનું શરૂ કર્યું.

Environmental Pollution and Protection

આપણામાંથી ભાગ્યે જ કોઈ આજે માટીની મૂર્તિની પૂજા કરશે. આ દિવસોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ, થર્મોકોલ, કૃત્રિમ રંગો વગેરેનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ શિલ્પો બનાવવામાં આવે છે. લોકો તેમના પૂર્વજો અને ભગવાનની તસવીરો મોટી ફ્રેમમાં મુકે છે અને જ્યારે તે જૂની થઇ જાય કે પછી તૂટી જાય છે, ત્યારે તેઓ તેને કાં તો ઝાડ નીચે રાખે છે, અથવા નદીમાં ફેંકી દે છે. આમ કરવાથી, આપણે પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છીએ એટલું જ નહીં, પણ આપણે ભગવાનની અવગણના પણ કરી રહ્યા છીએ. પરંતુ 33 વર્ષીય તૃપ્તિ ગાયકવાડ આ સમસ્યાને સમજ્યા એટલું જ નહીં, પણ તેના માટે જરૂરી ઉકેલ પણ શોધી કાઢ્યો.

પોતાની સંસ્થા સંપૂર્ણમ દ્વારા જૂની ફ્રેમ અને તૂટેલી મૂર્તિઓને પાણીમાં પ્રવેશતા અટકાવીને છેલ્લાં બે વર્ષથી તે ગરીબ બાળકો માટે રમકડાં અને પક્ષીઓ માટે માળા વગેરે બનાવી રહી છે. આ રીતે, તેમણે લગભગ 2000 લોકોને મદદ કરી છે અને 10 હજાર ફ્રેમને પાણીમાં જતી અટકાવી છે.

Save Environmental Save Earth

એક વિચારે દિશા બતાવી
તૃપ્તિ વ્યવસાયે વકીલ અને તપાસ અધિકારી પણ છે. વર્ષ 2019 માં તેમણે એક વ્યક્તિને નદીમાં ભગવાનનું ચિત્ર પધરાવતા અટકાવ્યા, ત્યારબાદ તેને લાગ્યું કે જો યોગ્ય રીતે સમજાવવામાં આવે તો આપણે આવા ઘણા લોકોને રોકી શકીએ છીએ. તે કહે છે, “મારું ઘર ગોદાવરી નદીની નજીક છે. એક દિવસ હું પૂરની સ્થિતિ જોવા નદીમાં ગઈ, પછી મેં જોયું કે એક માણસ કેટલીક જૂની ફ્રેમ્સ લઈને આવ્યો અને તેને નદીમાં ફેંકવાનું શરૂ કર્યું. મેં તેને અટકાવ્યો અને સમજાવ્યું કે તમે આ કાગળ અને ફ્રેમ લાકડાને રિસાયકલ કરી શકો છો અને તે સંમત થયા. ત્યારે જ મને લાગ્યું કે જો આપણે લોકોને આ વસ્તુઓને રિસાયકલ કરવામાં મદદ કરીશું, તો આપણે ખૂબ સારા પરિણામો મેળવી શકીશું.

તેણે તેના મિત્રો સાથે આ વિચાર વિશે વાત કરી અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સંદેશો મોકલ્યો કે જે પણ શિલ્પો અને ફ્રેમ તૂટી ગયા છે તે અમને રિસાયકલ કરવા માટે આપી શકે છે. લગભગ 10 દિવસની અંદર, તેનો ઘણા લોકો દ્વારા સંપર્ક થયો. તે લોકો પાસેથી મળેલી આ સામગ્રીને ખૂબ જ અનોખી રીતે રિસાયકલ કરે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસને ટુકડા કરેલા શિલ્પોમાંથી બનાવવામાં આવે છે અને પછી નાના રમકડાં બનાવવા માટે વપરાય છે. આ રમકડાં બાદમાં ગરીબ સમાજના બાળકોને આપવામાં આવે છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસને સિમેન્ટ સાથે ભેળવીને પ્લેટ બનાવવામાં આવે છે. જે પાછળથી પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણી માટે વાસણ તરીકે વપરાય છે.

તે વિવિધ ફેક્ટરીઓને રિસાયકલ કરવા માટે લાકડાની ફ્રેમ આપે છે, અને નાના માળાઓ બનાવે છે અને તેમને નજીકના ઝાડમાં મૂકે છે.

Save Environmental Save Earth

ઘણા શહેરોમાં બનાવ્યા કલેક્શન સેન્ટર
આપણી શ્રદ્ધા પણ ભગવાનની આ મૂર્તિઓ અને ચિત્રો સાથે જોડાયેલી છે. આથી, તૃપ્તિ પહેલા મૂર્તિઓની ઉત્તર પૂજા કરે છે અને ત્યારબાદ જ તેમને રિસાયક્લિંગ માટે આગળ મોકલવામાં આવે છે. ઉત્તર પૂજાનો અર્થ એ છે કે ભગવાન આ મૂર્તિઓ સાથે જોડાયેલી આપણી શ્રદ્ધા અને આપણો આદર સ્વીકારે છે. એટલે કે, એમ કહેવું ખોટું નહીં હોય કે સાચા અર્થમાં, મૂર્તિઓ અને ફોટોગ્રાફ્સને સંપૂર્ણ રીતે રિસાયકલ કરવામાં મદદ કરે છે.

Save Disposal of God Idols

તૃપ્તિ કહે છે કે આજે પુણે, નાગપુર અને મુંબઈના ઘણા લોકો પણ અમારી સાથે જોડાયા છે અને આ બધું સોશિયલ મીડિયા દ્વારા શક્ય બન્યું છે. હાલમાં, ઘણા લોકો તેને મૂર્તિઓ અને ફ્રેમ એકત્ર કરવામાં મદદ કરી રહ્યા છે. જ્યારે તે પોતે ઉત્તર પૂજા અને રિસાયકલનું કામ કરે છે. તે રિસાયકલ કરવા માટે પ્રતિ મૂર્તિ અથવા ચિત્ર દીઠ 50 રૂપિયા લે છે.

છેલ્લે તે કહે છે કે , “ભગવાનની મૂર્તિઓ બનાવવામાં જે આધુનિકતા આવી છે, તે જ આધુનિકતા આપણે ભગવાનની તૂટેલી મૂર્તિઓ અને ચિત્રોને રિસાયક્લિંગમાં લાવવાની છે. આ અમે સંપુર્ણમ દ્વારા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ”

તમે સંપૂર્ણમ કે તૂટેલી મૂર્તિ અને ફોટો ફ્રેમ્સના રીસાયકલ વિશે વધુ જાણવા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X