Placeholder canvas

Summer Gardening Tips: ઉનાળાની ગરમીઓમાં પણ તમારા ગાર્ડનને રાખો લીલુછમ, અપનાવો આ ટીપ્સ

Summer Gardening Tips: ઉનાળાની ગરમીઓમાં પણ તમારા ગાર્ડનને રાખો લીલુછમ, અપનાવો આ ટીપ્સ

જો તમે ઉનાળાની ઋતુમાં પણ તમારા ગાર્ડનમાં હરિયાળી રહે એવું ઈચ્છતા હોય તો અપનાવો આ એક્સપર્ટની રીત

ઉનાળાની ઋતુમાં, દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર જાય છે. જેની અસર ફક્ત આપણી ઉપર જ નહીં પણ ઝાડ અને છોડો ઉપર પણ થાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં તમારા ઝાડની સંભાળ રાખવા માટેની કેટલાક મહત્વપૂર્ણ ટીપ્સ જાણો, ગાર્ડનિંગના નિષ્ણાત એનેટ મેથ્યૂ પાસેથી.

ઉનાળો શરૂ થતાંની સાથે જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર થઈ જાય છે. જ્યારે લોકો માટે આ તાપમાન સહન કરવું મુશ્કેલ છે, ત્યારે વૃક્ષો-છોડ અને પ્રાણીઓ-પક્ષીઓને તે સહન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ઋતુમાં, જે રીતે આપણે પોતાને વધુ સૂર્ય અને ગરમીથી બચાવવાના હોય છે, તેવી જ રીતે ઝાડ અને છોડની પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. ઘણાં વૃક્ષો અતિશય ગરમીથી સૂકાઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે ઉનાળાની શરૂઆતથી તમારા બગીચાની સંભાળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે પહેલીવાર બાગકામ કરી રહ્યા છો અથવા તમને બાગકામ કરવાનો બહુ અનુભવ નથી, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઉનાળામાં તમે કેવી રીતે તમારા બગીચાને લીલુછમ (Summer Gardening Tips)રાખી શકો છો.

ઉનાળામાં, ઝાડ-છોડની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે અમે થાણેના બાગકામ નિષ્ણાત એનેટ મેથ્યૂ સાથે વાત કરી. એનેટ કહે છે કે ઉનાળામાં છોડને વધુ પાણી આપવું જ પૂરતું નથી, પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે પાણી માટેનો યોગ્ય સમય કયો છે. કારણ કે, જો તમે ખોટા સમયે છોડને પાણી આપો છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે કે નહીં.

Gardening

ઉનાળામાં ઝાડની સંભાળ કેવી રીતે રાખવી:

  1. છોડની જગ્યા બદલો:

ઉનાળામાં, લાંબા સમય માટે તેજ તડકો હોય છે. તેથી, જે છોડ તેજ સૂર્યપ્રકાશનો સામનો કરી શકતા નથી, તમારે તેમને છાયડામાં રાખવા જોઈએ. જો તમારી પાસે કેટલાક મોટા વૃક્ષો છે, તો પછી તમે નાના છોડ પણ તેમની છાયા હેઠળ રાખી શકો છો.

  1. છોડ માટે લગાવી શકો છો ‘બાગાયતી શેડનેટ‘:

ઝાડ-છોડને તેજ સૂર્યપ્રકાશથી બચાવવા માટે, તમે તમારી બાલકની અથવા છતનાં બગીચા ઉપર શેડનેટ પણ લગાવી શકો છો. તેનાથી આકરો તડકો, સીધા છોડ પર પડશે નહી. તેની સાથે ધ્યાન રાખોકે, તમારા છોડ છત અથવા બાલકનીમાં, કોઈ મેટલની જાળીને અડે નહી એવી રીતે. કારણ કે,સૂર્યપ્રકાશને કારણે ધાતુ ખૂબ જ ગરમ થાય છે. આ કિસ્સામાં, જો છોડની ડાળીઓ અથવા પાંદડા લાંબા સમય સુધી આ ધાતુના સંપર્કમાં રહે છે, તો તે સૂકવવાનું શરૂ કરે છે. તેથી, તમારે પ્રયાસ કરવો જોઈએ કે તમારી બાલ્કની અથવા છતની જાળી પણ ‘ગ્રીન નેટ’ ની છાયામાં હોય અથવા તમે તેના પર એક અલગ કપડું રાખી શકો છો.

Gardening tips
  1. પાણી આપવાનું વિશેષ ધ્યાન રાખો

ઉનાળામાં, ઝાડ અને છોડને વધુ પાણીની જરૂર હોય છે અને કુંડાની માટી ઝડપથી સૂકવવા લાગે છે. તેથી, તમારે દિવસમાં ઓછામાં ઓછા બે વાર છોડને પાણી આપવું જોઈએ. સાથે, એ પણ ધ્યાનમાં રાખો કે દરેક છોડ બીજાથી અલગ હોય છે. કેટલાક છોડને વધુ પાણીની જરૂર પડે છે અને કેટલાકને પાણીની સામાન્ય માત્રાની જરૂર હોય છે. તેથી, તમારે પાણીને સારી રીતે આપવું જોઈએ, પરંતુ તે એટલું ન હોવું જોઈએ કે તમારા છોડ ખરાબ થવા લાગે.

ધ્યાન રાખવાની વાત એ છે કે તમે છોડને યોગ્ય સમયે પાણી આપો છો. ઉનાળામાં હંમેશાં સવારે અને સાંજે પાણી આપવું યોગ્ય છે. જો તમે બપોર પછી પાણી આપો છો, તો તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીને લીધે, આ પાણી ઝડપથી સુકાઈ જશે અને છોડને તે મળશે નહીં. પરંતુ સવાર-સાંજ આપેલ પાણી લાંબા સમય સુધી જમીનમાં ભેજ જાળવી રાખે છે.

ઉપરાંત, જો તમને પૂરતો સમય ન મળે કે તમે છોડને વારંવાર પાણી આપી શકો, તો તમે કેટલાક #DIY રીતો અપનાવી શકો છો. ઉદાહરણ તરીકે, જૂની પ્લાસ્ટિકની બોટલના ઢાંકણમાં, નાના છિદ્રો બનાવો અને બોટલને પાણીથી ભરો અને તેને ઢાંકી દો. હવે આ બોટલને છોડની પાસે ઉંધી કરીને માટીમાં લગાવી દો. એવું કરવાથી માટીમાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહેશે અને વારંવાર પાણી આપવાની જરૂર રહેશે નહીં.

  • ઝાડ-છોડની ડાળીઓ અને પાંદડાઓ ઉપર પણ પાણીનો છંટકાવ કરો

છોડને પાણી આપવાની સાથે-સાથે, તેની શાખાઓ અને પાંદડા ઉપર પાણીનો છંટકાવ કરવો સારો રહે છે. તમે આ કામ માટે ‘સ્પ્રેઅર’નો ઉપયોગ કરી શકો છો. તમે સવારે એકવાર અને બપોરે ત્રણ થી ચાર વાગ્યે છોડ ઉપર પાણી છાંટી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે તમે બધા પ્રકારના છોડ પર સ્પ્રે કરી શકતા નથી જેમ કે- સક્યૂલેંટ છોડ પર સ્પ્રે કરવાની જરૂર નથી. તેથી, તમારા છોડની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કરો.

  1. છોડની નજીક માટલામાં કે જારમાં પાણી ભરીને રાખો

ઉનાળામાં, જો તમે ખુલ્લા વાસણમાં પાણી રાખો છો, તો તે બાષ્પીભવન થાય છે. જે વાતાવરણમાં ભેજનું સર્જન કરે છે. જ્યારે ઉનાળો ટોચ પર હોય છે, ત્યારે તમે તમારા છોડની નજીક કાંચના જાર, ટબ અથવા વાસણમાં પાણી સ્ટોર કરી શકો છો. તેનાથી છોડની આજુબાજુમાં ભેજ રહેશે અને છોડને લીલોછમ રાખવામાં મદદ મળશે. જો કે, તમારે દરરોજ આ પાણી બદલવાનું ચાલુ રાખવું પડશે જેથી જંતુ તેમાં થાય નહીં. ઉપરાંત, એવા છોડ કે જેને વધુ ભેજની જરૂર હોય, તમારે તેમને એક જગ્યાએ એક સાથે રાખવા જોઈએ. આ છોડ એકબીજાના ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.

તેના સિવાય, તમે કોઈ મોટી ટ્રેમાં કેટલાક નાના પત્થરો રાખીને, તેમાં પાણી ભરો. પાણી ભર્યા પછી, તમે આ પત્થરોની ઉપર છોડના કુંડા મૂકી શકો છો. તેનાથી છોડને સતત ભેજ મળતો રહેશે.

Kitchen Gardening
  1. મલ્ચિંગ

ઉનાળાની ઋતુમાં છોડ માટે ‘મલ્ચિંગ’ ખૂબ ફાયદાકારક રહે છે. આ માટે, બધા કુંડામાં છોડને સારી રીતે પાણી આપો. પછી બધા વાસણોમાં છોડની આસપાસ સુકા પાંદડા, નીંદણ અથવા કેટલાક ભીના કપડા રાખો. તેનાંથી કુંડાની માટીમાં લાંબા સમય સુધી ભેજ રહેશે અને વારંવાર તેને પાણી આપવાની જરૂર રહેશે નહીં. જો કે, મલ્ચિંગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તમે ઘાસ કે પાંદડાનું હલકું લેયર રાખો અને તમે તેના પર લાકડાની રાખ મૂકી શકો છો.

  • દરેક છોડ પર ધ્યાન આપો

મેથ્યૂ કહે છે કે દર બે-ત્રણ દિવસ પછી, તમારે તમારા બગીચામાંના બધા છોડની તપાસ કરતા રહેવું જોઈએ. જો છોડના પાંદડા સુકાઈ રહ્યા છે અથવા બીજી કોઈ સમસ્યા આવી રહી છે, તો તમે સમયસર તેનો ઉકેલ લાવી શકશો. ઉપરાંત, એવા ઘણા છોડ છે જે સંપૂર્ણ કાળજી લીધા પછી પણ ગરમી સહન કરી શકતા નથી અને સૂકાઈ જાય છે. જો તમારા કેટલાક છોડ ખરાબ થઈ જાય છે, તો તમારે વધુ નવા છોડ રોપવા જોઈએ જેથી તમારો બગીચો લીલોછમ બની રહે.

શું ન કરવું જોઈએ

· પ્રયાસ કરોકે, ઉનાળાની ઋતુમાં ‘નક્કર ખાતર’ છોડને ન આપો.

· ઉનાળામાં, છોડને ક્યારેય પણ ‘રીપૉટ’ ન કરવા જોઈએ.

· તેના સિવાય છોડોને ગરમી શરૂ થાય તે પહેલા અથવા ગરમી પુરી થાય ત્યારે જ કાપવા જોઈએ.

Home Gardening

પ્રવાહી ખાતર બનાવો

ઉનાળામાં હંમેશા છોડને પ્રવાહી ખાતર આપવાનો પ્રયત્ન કરો. જો તમે ઈચ્છો તો તમે ‘સીવીડ એક્સટ્રેક્ટ ‘ ખાતર, પાણી સાથે મિક્સ કરીને આપી શકો છો. આ સિવાય તમે ફળો-શાકભાજી અને ઇંડા શેલો જેવા રસોડામાંથી નીકળતા જૈવિક કચરામાંથી પ્રવાહી ખાતર પણ બનાવી શકો છો. તેમણે કહ્યું, “ક્યારેય પણ છાલોને સીધા કુંડામાં ન નાંખો, હંમેશા તેનું ખાતર બનાવો અને છોડમાં નાંખો. તેનાથી છોડને ઝડપી પોષણ મળશે.”

આ ઉપરાંત, તમારે તમારા બગીચામાં પક્ષીઓ ખોરાક અને પાણી રાખવા જોઈએ. જો તમારા ઘરમાં મોટા ઝાડ છે, તો તમે પક્ષીઓ માટે તેમની ડાળીઓ પર ‘બર્ડ ફીડર’ લગાવી શકો છો અથવા તમારા ટેરેસ અને બાલ્કનીમાં, એક વાસણમાં ખાવાનું અને પાણી પણ અલગ રાખી શકો છો. અંતે, તે ફક્ત સૂચવે છે કે, ઉનાળામાં છોડની સંભાળનાં નિયમો તમે તમારા વિસ્તારના તાપમાન અનુસાર તૈયાર કરો. કારણ કે, ઘણી વખતની લાંબી સંભાળનાં ચક્કરમાં પણ આપણે છોડને ખરાબ કરી દઈએ છીએ. તેથી, તાપમાનને ધ્યાનમાં રાખીને અને છોડની જરૂરિયાત મુજબ તેની સંભાળ લો.

ઝાડ-છોડની સંભાળ વિશેની વધુ માહિતી માટે તમે એનેટની યુટ્યુબ ચેનલ પણ જોઈ શકો છો.

હેપી ગાર્ડનિંગ!

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: #ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X