વ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજે 2007માં પ્રકૃતિની નજીક રહેવા માટે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાની યોજના બનાવી હતી. તેમણે તળાવની ઉપર ત્રણ માળનો વાંસનો વિલા બનાવ્યો છે જેના માટે તેમણે 90 ટકા વાંસ પોતે જાતે જ ઉગાડ્યા છે.
પ્રાકૃતિક ખેતી એ ભારતનું ભવિષ્ય બનવા જઈ રહી છે. આજે ઘણા નવ યુવાનો અને યુવતીઓ સારો એવો પગાર આપતી નોકરીઓ છોડીને જૈવિક ખેતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. પાટણના તન્વીબેનએ પણ મધમાખી ઉછેર દ્વારા મધના ઉત્પાદનનું વેચાણ કરી આ દિશા તરફ પ્રયાણ કર્યું છે.
માનવતાવાદી કાર્ય કરતા મોતી રૂપી વ્યક્તિઓની માળામાં આજે ધ બેટર ઇન્ડિયા પર એક નવા મોતીનો ઉમેરો થયો છે. અહીં અમે વતા કરી રહ્યા છીએ રાજકોટના ઉપલેટામાં સેવાની ધુણી ધખાવનાર એક મહિલાની કે જેઓ નિઃસ્વાર્થ સેવાના આ કાર્યમાં પોતાની જિંદગી ખપાવી રહ્યા છે.
મૈત્રી જરીવાલા 'Begin With Flowers' ના નામે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, પરફ્યુમ બનાવીને વેચે છે.
મશરૂ એક શાહી હસ્તકલા હતી, જેનું ઉત્પાદન 1900 ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. આજકાલ, ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે.
દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.
દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.
રખડતાં કૂતરાંને જમાડવાથી લઈને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવો, જેથી રાત્રે એક્સિડન્ટનો ભોગ ન બને અને ઘાયલ કૂતરાંની સારવાર સહિતનાં કામ કરે છે અમદાવાદની ઝંખના