છેલ્લાં 14 વર્ષથી પર્યાવરણ સાથે સુમેળ સાથે જીવન જીવી રહેલ આ દંપતિએ ઘર માટે વિજળીનું કનેક્શન જ નથી લીધું. વરસાદના પાણીનું ટીંપુ પણ નથી જતું બહાર. ફળ-શાકભાજી અને અનાજ બધુ જ ખાય છે ઘરે વાવેલ, એ પણ ઊગે છે રસોડામાં વપરાયેલ પાણીથી.
ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.
કેશોદનો આ ખેડૂત પરિવાર આધુનિક જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ થઈ. ખેતરમાં પંપ અને ઘરમાં એસી સહિત બધી જ સુવિધાઓ ચાલે છે સોલર પાવરથી, પાણી વાપરે છે વરસાદનું અને ફળો-શાકભાજી ખાય છે ઘરે ઉગાડેલ. ઘરના લીલા કચરામાંથી જ બનાવે છે ખાતર પણ.
પર્યાવરણને અનુકૂળ જીવીને મોટી બચત કેવી રીતે કરી શકાય તે જાણવું હોય તો જરૂરથી વાંચજો. ફળ-શાકભાજી ઘરે ઉગાડેલ, પાવડર, સાબુ-શેમ્પૂ પણ ઘરે જ બનાવેલ અને કિચન વેસ્ટમાંથી ખાતર તેમજ બાયો એન્ઝાઈમ્સ, છે ને એકદમ હેલ્ધી લાઈફ!
IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.
વડોદરા શહેરના રાજા ચડ્ડાએ ઉનાળામાં પોતાના ઘરને ઠંડુ રાખવા માટે વૉટર લીલી, એવલૈંચ લીલી, પર્પલ જોય અને એડેનિયમ જેવા 300 થી વધુ છોડ છત પર ઉગાડ્યા છે. જેમાંની મોટાભાગની લીલી તેઓ અલગ-અલગ દેશમાંથી લાવ્યા છે. તેમનું આ ગાર્ડન ભર ઉનાળામાં પણ ઘરને રાખે છે ઠંડુ.
અમદાવાદમાં રહેતા 31 વર્ષીય ડૉ. દિલીપસિંહ સોઢાએ ઘરના ધાબામાં લગાવી છે પાંચ કિલોવૉટની સોલર સિસ્ટમ. ઘરમાં એસી, વૉશિંગ મશીન, ફ્રિજ, અવન સહિત બધીજ સુવિધાઓ હોવા છતાં બિલ આવે છે ઝીરો. સાથે-સાથે તેઓ પિતા સાથે મળીને વૃક્ષારોપણ અને 'કાર-ફ્રી' ડે જેવી ઝુંબેશ પણ કરે છે.