વર્ષો સુધી મીડિયામાં રિપોર્ટિંગ બાદ કઈંક પોતાનું કરવા નોકરી છોડી શરૂ કરી ખેતી, આજે રણ વિસ્તારને બનાવી દીધો છે હરિયાળો. હાઈવે પર પસાર થતા લોકો થોભી જાય છે જોવા માટે
તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.
સેનામાંથી નિવૃત્ત થયા બાદ 50 વર્ષીય રેવતસિંહે કઈંક એવું કરવાનું નક્કી કર્યું, જેનાથી પ્રકૃતિની નજીક રહી શકાય. આ માટે તેમણે તેમના ખેતરમાં 2000 ઝાડ વાવ્યાં અને એક ખીજડા પર ટ્રી હાઉસ પણ બનાવ્યું. તળાવ, પક્ષીઓ અને હરિયાળીના સાનિધ્યવાળું આ ફાર્મ એકદમ થીમ પાર્ક જેવું જ છે.
''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''
IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.