Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

92 ની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવનાર આ ભારતીય કલાકારનાં શિલ્પો 150 દેશોની શોભા વધારી રહ્યા છે!

By Kishan Dave

ગુજરાતની શાન સમાન 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરનાર અત્યાર સુધીમાં દુનિયાભરની 8000 કરતાં વધારે મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તેમની બનાવેલ સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમા છે.

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે 40 વર્ષોથી પોતાના ખર્ચે વૃક્ષારોપણ કરી આખા રસ્તાને બનાવ્યો લીલોછમ

By Mansi Patel

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે છેલ્લાં 40 વર્ષથી સતત વૃક્ષારોપણ કરી 15 કિમીના આખા રસ્તાને બંને બાજુથી હરિયાળો બનાવી દીધો છે. પેન્શનમાંથી વૃક્ષો વાવવાની સાથે-સાથે તે મોટાં થાય ત્યાં સુધી સંભાળ પણ રાખે છે.

પેરીનબેન કેપ્ટન: દાદાભાઈ નવરોજીના પૌત્રી, જેમણે આજીવન રાષ્ટ્રની સેવા કરી!

By Kishan Dave

દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.

4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામ

By Mansi Patel

કોઈ કામ અશક્ય નથી, તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જાદવ પાયેંગ. જાદવે પોતાની મહેનતથી 4 કરોડ કરતાં પણ વધારે ઝાડ વાવી, માજુલી દ્વીપ પર આખુ જંગલ ઊભુ કરી દીધું છે. જાણો કેવી રીતે કર્યો આ કમાલ.

અબોલ જીવોની તકલીફ જોઈ પાલનપુરના વેટરનરી ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક

By Kishan Dave

અબોલ જીવોની પીડા જોઈ પાલનપુરના આ ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક. શેરીએ-શેરીએ ફરી કરે છે તેમની સારવાર. તો પ્રાણીઓ માટે આખા શહેરમાં કર્યું ફ્રી રસીકરણ અભિયાન પણ.

છોટાઉદેપુરની આ દુકાનને નથી દરવાજા, 24 કલાક રહે છે ખુલ્લી, ગ્રાહકો જાતે જ વસ્તુ લઈ ગલ્લામાં મૂકે છે પૈસા

By Kishan Dave

આજના જમાનામાં અજાયબી લાગે તેવી એક દુકાન છે છોટાઉદેપુરના કેવડી ગામમાં. છેલ્લા 30 વર્ષથી અહીં ક્યારેય તાળુ જ નથી વાગ્યું, 24 કલાક રહે છે ખુલ્લી. ગ્રાહકો જાતેજ જોઈતી વસ્તુ લઈને ગલ્લામાં પૈસા પણ મૂકી દે છે.

ગાંધીજીના સ્વદેશીપ્રેમને આગળ વધાર્યો આ 5 ગુજરાતીઓની કંપનીઓએ, આજે દેશ-વિદેશમાં કરે છે રાજ

By Kishan Dave

આજે ગાંધી જયંતિ નિમિત્તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ આપણી પાંચ સ્વદેશી કંપનીઓ વિશે, જેઓ માત્ર ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ આખા દેશમાં જાણીતી છે અને વિદેશો સુધી તેમનાં મૂળ વિસ્તર્યાં છે.

હાડકાના કેન્સરને હરાવી 130 નિરાધાર બાળકોની માતા બની હૂંફ અને શિક્ષણ આપે છે અમદાવાદી

By Vivek

મૂળ અમદાવાદનાં, હાલ ઝાલાવાડના મધર ટેરેસા કંચનબેન દિવ્યાંગ હોવા છતાં 130 નિરાધાર બાળકોને આપે છે માતૃત્વની હૂંફ, હાડકાના કેન્સર સામે લડતાં-લડતાં શરૂ કર્યું હતું સેવાનું ભગિરથ કાર્ય. 1062 વિદ્યાર્થીઓને ભાણાવી કર્યા પગભર.

જલંધર પટેલ પોતાની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોને પોતાના ઘરમાં રાખી કરે છે સેવા

By Kishan Dave

મદદ માટે બેન્ક બેલેન્સની નહીં પણ મોટા દિલની જરૂર છે. આ ખેડૂત પરિવાર તેમની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોની સેવા-ચાકરી કરે છે. એક રૂપિયો પણ બચતો નથી, છતાં તેમને તેનું જરા પણ દુ:ખ નથી.

શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ

By Kishan Dave

દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ શિક્ષક દંપતિએ રિટાયર્ડમેન્ટની આખી મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ. 14 વર્ષની મહેનતે વાવ્યાં 7000 કરતાં વધારે વૃક્ષો. આ જગ્યા અત્યારે હજારો પશુ-પક્ષીઓ માટે બની ગઈ છે કાયમી આવાસ. 72 વર્ષની ઉંમરે પણ તેઓ આખો દિવસ પસાર કરે છે આ વૃક્ષો અને પશુ-પક્ષીઓ વચ્ચે.