રસ્તામાં ક્યાંય પણ કોથળી મળે એટલે વીણી લાવે, તેને સાફ કરી તેમાં રોપા બનાવે. તેના માટે બીજ પણ જંગલમાં જઈને જાતે જ વણી આવે. આ શિક્ષકને લાગ્યું છે પર્યાવરણ બચાવવાનું ઘેલું. મફતમાં વહેંચે છે રોપા અને બીજ.
ગ્લોબલ વૉર્મિંગની વધતી જતી અસરને જોતાં ઘણા લોકોએ પર્યાવરણને બચાવવા મોટાપાયે કામ શરૂ કર્યું છે. આમાંના જ છે આ 5 ગુજરાતીઓ પણ, જેમના કારણે આજે ગુજરાતમાં લાખો ઝાડ તો ઊગ્યાં જ છે, સાથે-સાથે પક્ષીઓને સુરક્ષિત આશરો પણ મળ્યો છે.
દુબઈમાં હરિયાળી ન મળવાથી સ્વદેશ પાછું ફર્યું આ દંપતિ. જૈવિક ખેતી શરૂ કરી અને 400 વર્ષ જૂના જાંબુડા પર બનાવ્યું સુંદર ટ્રી હાઉસ. કરી રહ્યા છે બહુ સારી કમાણી.
પ્રકૃતિ સાથે સુમેળ સાધી જીવે છે અમદાવાદનાં મિનલ બેન. તેઓ તો ફળ-ફૂલ અને ઔષધીના છોડ વાવે જ છે, સાથે-સાથે જે પણ ઘરે જાય તેને ભેટમાં મળે છે એક છોડ. ઘરમાં લગાવી સોલર કીટ અને સોસાયટીમાં કરાવ્યું રેન વૉટર હાર્વેસ્ટિંગ.
દાહોદના નાનકડા ગામના આ શિક્ષકનું ઘર લાગે છે રિસોર્ટ સમાન, લોકો જાય છે ખાસ ફોટોગ્રાફી કરવા. ગૌમૂત્રમાંથી જ જીવામૄત બનાવી વાવ્યાં છે ફળ-શાકભાજી અને ઔષધીઓ, જે તેઓ તો ખાય જ છે, સાથે-સાથે પડોશીઓ અને શાળાનાં બાળકોને પણ આપે છે. તો પક્ષીઓ માટે તો બની ગયું છે નાનકડું સુંદર વન.
ડૉ. રાજારામ (સ્વર્ગીય) અને તેમનાં પત્ની ડૉ. બિનય રાજારામે બહુ પ્રેમથી લગભગ 20 વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવ્યું હતું, જેમાં 40 કરતાં વધારે ઝાડ-છોડ છે અને દર વર્ષે બે લાખ લીટર વરસાદનું પાણી બચાવવામાં આવે છે.
ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.