વરસાદ તો પડી રહ્યો છે પરંતુ પાણી નદી-નાળાંમાં વહી જવાથી ચોમાસુ પૂરું થતાં જ પાણીની તંગી શરૂ થઈ જાય છે, આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર પણ સતત નીચું થઈ રહ્યું છે. આ બધાથી બચવા અહીં જણાવેલ રીતોથી બચાવો વરસાદના વહી જતા પાણીને.
ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.
અમિત દોશીએ નવપ્રયોગ કરી 'Neerain' નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..
વડોદરામાં 2019ના વર્ષમાં આવેલ મૂસળધાર વરસાદ પછી, શહેરની શાળાઓમાં પાણીની તીવ્ર તંગી સર્જાવા લાગી હતી. તે જોઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ઝડપથી સમગ્ર વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઉભી કરી છે, જેથી શાળાઓ આગામી ચાર વર્ષો સુધી પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરી શકે.
સસ્ટેનેબલ આર્કિટેક્ચરમાં વિશ્વાસ રાખતા જીતેન્દ્ર નાયક બનાવે છે 40% ઓછા ખર્ચમાં ઈકો ફ્રેન્ડલી ઘર. તેમના પોતાના ઘરમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. તો નથી ભરવું પડતું લાઈટ બિલ કે પાણીનું બિલ પણ. જૂની સામગ્રીમામ્થી બનાવે છે મજબૂત ઘર
લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો નહિંવત થયું જ છે, સાથે ઘરમાંથી નીકળતો કચરો પણ બંધ થઈ ગયો. તેમાંથી ઉત્પન્ન થાય છે બાયોગેસ અને કંમ્પોસ્ટ ખાતર. જેથી ઘર માટે શુદ્ધ ફળ-શાકભાજી પણ મળી રહે અને તે પણ વરસાદના પાણીમાં ઉગાડેલ, તો રસોઈ બને છે બાયોગેસથી જ. ઘરમાં કરી પ્લાસ્ટિકને 'નો એન્ટ્રી'.
રાજકોટની એક એવી હોટેલ જ્યાંથી વરસાદનું ટીંપુ પણ નથી જતું વેસ્ટ, તો રસોડા અને રૂમ માટે વપરાય છે સોલર વૉટર હીટર. હોટેલમાં વપરાયેલા પાણીને પણ રિસાયકલ કરીને વાપરવામાં આવે છે સફાઈકામ માટે અને હરિયાળી માટે વાવવામાં આવ્યા છે શક્ય એટલા વધારે છોડ. પાણીનો બગાડ અટકાવવા મહેમાનોને આપે છે અડધો ગ્લાસ પાણી, આવી અનેક પહેલ છે, જેનાથી બચાવી શકાય છે પર્યાવરણને.
જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.
કચ્છના રણમાં વર્ષોથી લોકો પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં આ અમદાવાદી મહિલાએ સ્થાનિક લોકોની મદદથી 97 ગામોમાં 675 નાનાં-મોટાં જળાશયો બનાવ્યાં અથવા પુનર્જિવિત કર્યાં. હવે તેમને ઉનાળામાં રોજી માટે નથી કરવું પડતું સ્થળાંતર