દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. જાણો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ. સાથે-સાથે પ્રસાદને ઘરે પણ બનાવવાની સરળ રીત.
કેશોદનો આ ખેડૂત પરિવાર આધુનિક જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ થઈ. ખેતરમાં પંપ અને ઘરમાં એસી સહિત બધી જ સુવિધાઓ ચાલે છે સોલર પાવરથી, પાણી વાપરે છે વરસાદનું અને ફળો-શાકભાજી ખાય છે ઘરે ઉગાડેલ. ઘરના લીલા કચરામાંથી જ બનાવે છે ખાતર પણ.
રાજકોટના ઈશ્વરિયા ગામમાં આવેલ આ વિશ્વનીડમ ગુરૂકુળમાં સંપૂર્ણ રીતે કુદરતના સાનિધ્યમાં બાળકોને માનસિક અને શારીરિક રીતે સજ્જ કરવામાં આવે છે અને રોજગાર માટે ખાસ પ્રશિક્ષિત કરવામાં આવે છે.
અમિત દોશીએ નવપ્રયોગ કરી 'Neerain' નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..
ગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.
વડોદરામાં 2019ના વર્ષમાં આવેલ મૂસળધાર વરસાદ પછી, શહેરની શાળાઓમાં પાણીની તીવ્ર તંગી સર્જાવા લાગી હતી. તે જોઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ઝડપથી સમગ્ર વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઉભી કરી છે, જેથી શાળાઓ આગામી ચાર વર્ષો સુધી પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરી શકે.
સુરતમાં ખમણની દુકાનમાં સામાન્ય કારીગર તરીકે નોકરી કરતા પિતામ્બરદાસે વર્ષો પહેલાં અમદાવાદમાં શરૂઆત કરી હતી દાસ ખમણની. આજે તેમની ચોથી પેઢી સાચવી રહી છે વારસો. આજે આખા અમદાવાદમાં ફેલાયેલ છે તેમની શાખાઓ.