આજે પણ દેવગઢબારીયા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા લોકો છે, જેમને જમવામાં દાળ-ભાત-શાક-રોટલી મળી જાય તો સોનાનો સૂરજ ઊગ્યો ગણાય, આવા લોકોને 9 વર્ષથી મફતમાં ફુલ થાળી ખવડાવે છે 66 વર્ષના નિકુંજદાદા.
મૂળ અમરેલીનો પણ અમદાવાદમાં ભણતો આ કૉલેજીયન યુવાન છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનો જન્મદિવસ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે જ ઉજવે છે. તેને સારું મૂવી બતાવે, પિકનિક લઈ જાય અને સારી હોટેલમાં જમાડે.
જામનગરનું ‘ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટ’ વર્ષોથી વિનામૂલ્યે રોજના જમાડે છે 1200 લોકોને, ટિફિન પહોંચાડવા માટે વસાવ્યું છે ઇલેક્ટ્રિક વાહન, અને આપે છે 21 લોકોને રોજગારી. સવાર-સાંજ સમયસર પહોંચાડે છે ગરમા-ગરમ જમવાનું એ પણ એકદમ મફત.
મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યુ થતાં તેના મિત્રો યાદગીરી રૂપે ઊંજામાં વર્ષ 2013 થી ચલાવે છે ફ્રી ઑક્સિજન બેન્ક. એટલું જ નહીં પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગોને સક્ષમ બનાવવા ખાસ કેર સેન્ટર ચલાવે છે લાલાભાઈ.