મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.
નવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.
રિટાયર્ડમેન્ટમાં પિતાનો સમય કોઈ સારા કામમાં પસાર થાય એ હેતુથી મૂળ ટેક્સટાઇલ બિઝનેસમેન મેહુલભાઈએ ભાવનગરની પોતાની જમીન પર ડેરી ફાર્મ શરૂ કર્યું. આજે અહીં શુદ્ધ-સાત્વિક ઉત્પાદનો બનાવવાની સાથે-સાથે આખા ગામને પીવાલાયક પાણી પણ પૂરું પાડે છે.
અબોલ જીવોની પીડા જોઈ પાલનપુરના આ ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક. શેરીએ-શેરીએ ફરી કરે છે તેમની સારવાર. તો પ્રાણીઓ માટે આખા શહેરમાં કર્યું ફ્રી રસીકરણ અભિયાન પણ.
શું તમે ઈચ્છો છો કે, તમારું ઘર એવું હોય, જ્યાં માત્ર વિજળીનું બિલ જ ઓછું ન આવે, પરંતુ ઘર પર્યાવરણને અનુકૂળ પણ હોય. જી હા, આજે અમે વાત કરી રહ્યા છીએ સસ્ટેનેબલ ઘરની. જો તમે પણ ખરેખર આવું ઘર ઈચ્છતા હોવ તો, શરૂઆત કરો વિજળીના બિલમાં બચતથી.
આજના જમાનામાં અજાયબી લાગે તેવી એક દુકાન છે છોટાઉદેપુરના કેવડી ગામમાં. છેલ્લા 30 વર્ષથી અહીં ક્યારેય તાળુ જ નથી વાગ્યું, 24 કલાક રહે છે ખુલ્લી. ગ્રાહકો જાતેજ જોઈતી વસ્તુ લઈને ગલ્લામાં પૈસા પણ મૂકી દે છે.
પત્નીની કેન્સરની સારવાર માટે અમેરિકાથી અમદાવાદ આવનાર પાર્થિવ ઠક્કરે કોરોનાકાળમાં મુશ્કેલીઓમાં ઘેરાતાં જૂની મારુતિ 800 માં IIM-A ના દરવાજા બહાર બર્ગર, ટાકોસ, ટોર્ટીલાસ અને સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું. આજે પત્નીની દવાઓનો ખર્ચ કાઢવાની સાથે-સાથે પરિવારનો ખર્ચ પણ નીકળે છે આમાંથી.
અમદાવાદના હાર્દિક શાહે એક એવી એપ બનાવી છે, જ્યાં તમે તમારા ઘરનો કચરો વેચી જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો. જેમાં કિચનથી લઈને બ્યૂટી પ્રોડક્ટ્સ, કપડાંથી લઈને જૂતાં બધાંનો છે વિકલ્પ.
કંપનીના કામથી દેશ-વિદેશમાં ફરતાં ખેતીમાં થતા રસાયણોના ઉપયોગ વિશે જાણી, ભાવનગર પાસે વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ. અહીં છે 1500 આંબાની સાથે કાળી હળદર, અનાજ, શાકભાજી, ફળો, બધુ જ ઑર્ગેનિક. દર વર્ષે વિદેશી પ્રવાસીઓ અહીં આવીને રહે છે દિવસો સુધી.