છોટા ઉદયપૂરના એક સામાન્ય ખેડૂતે બનાવ્યાં છાણના એવાં કૂંડાં કે, નર્સરીમાં જરૂર ન પડે પ્લાસ્ટિકની પોલિથીનની. વધુમાં આ કુંડાં છોડ અને માટી માટે ખાતરનું કામ પણ કરે છે અને પર્યાવરણને નુકસાન થતું પણ અટકાવે છે.
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ શરદભાઈ ગજેરાએ રાજકોટમાં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી, પરંતુ હંમેશાંથી તેમને ગૌસેવા કરવાની ઇચ્છા રહેતી.