રસ્તામાં ક્યાંય પણ કોથળી મળે એટલે વીણી લાવે, તેને સાફ કરી તેમાં રોપા બનાવે. તેના માટે બીજ પણ જંગલમાં જઈને જાતે જ વણી આવે. આ શિક્ષકને લાગ્યું છે પર્યાવરણ બચાવવાનું ઘેલું. મફતમાં વહેંચે છે રોપા અને બીજ.
ગ્લોબલ વૉર્મિંગની વધતી જતી અસરને જોતાં ઘણા લોકોએ પર્યાવરણને બચાવવા મોટાપાયે કામ શરૂ કર્યું છે. આમાંના જ છે આ 5 ગુજરાતીઓ પણ, જેમના કારણે આજે ગુજરાતમાં લાખો ઝાડ તો ઊગ્યાં જ છે, સાથે-સાથે પક્ષીઓને સુરક્ષિત આશરો પણ મળ્યો છે.
તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.