સૂર્યશક્તિ દ્વારા મીઠું પકવવાની રીતથી કચ્છના નાના રણના અગરિયાઓની આવકમાં થયો વધારો તો સાથે સાથે પર્યાવરણને પણ થયો ખુબ સારો એવો ફાયદો. આજે અગરિયાઓને મહિને 30-35 હજારની બચત થાય છે
નિત્યાનંદ અને તેમની પત્ની રમ્યાએ તેમની બે એકર જમીન પક્ષીઓને સમર્પિત કરી દીધી. જ્યાં તેમણે પક્ષીઓ માળો બાંધી શકે તેવાં ઝાડ અને તેમને ખોરાક મળી રહે તેવાં ફળાઉ વૃક્ષો વાવ્યાં. પક્ષીઓને નહાવા અને પાણી પીવાની માળા માટે પણ ખાસ વ્યવસ્થા કરી. હવે લોકોને કરે છે જાગૃત.
ભવિષ્યમાં કોલસાની અછતનાં પરિણામ ભોગવવાં ન પડે અને વિજળીનો ખર્ચ ઘટે એ માટે દીવ ચાલે છે સંપૂર્ણપણે સૌર ઉર્જા. અહીં આ માટે બે સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે અને બધી જ સરકારી ઈમારતો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે.
પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે સાસણગીરના આ 7 કૉટેજના રિસોર્ટમાં એક પણ ઝાડને નુકસાન કરવામાં નથી આવ્યું બનાવતી વખતે. દરેક કૉટેજ આગળ છે પર્સનલ ગાર્ડન. અહીંજ વાવેલ ઑર્ગેનિક અનાજ, શાકભાજી, કઠોળ અને ફળો પીરસવામાં આવે છે મહેમાનોને. સ્વિમિંગ પૂલના પાણીથી થાય છે પિયત.
મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.
કોઈ કામ અશક્ય નથી, તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જાદવ પાયેંગ. જાદવે પોતાની મહેનતથી 4 કરોડ કરતાં પણ વધારે ઝાડ વાવી, માજુલી દ્વીપ પર આખુ જંગલ ઊભુ કરી દીધું છે. જાણો કેવી રીતે કર્યો આ કમાલ.
અમદાવાદના હાર્દિક શાહે એક એવી એપ બનાવી છે, જ્યાં તમે તમારા ઘરનો કચરો વેચી જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો. જેમાં કિચનથી લઈને બ્યૂટી પ્રોડક્ટ્સ, કપડાંથી લઈને જૂતાં બધાંનો છે વિકલ્પ.
શહેરોમાં વધી રહેલ ગરમી અને ઘટી રહેલ હરિયાળીની ફરિયાદ કરવાની જગ્યાએ, આ મિત્રોએ આસપાસ છોડ વાવવાનું શરૂ કર્યું. અમદાવાદના વૃક્ષપ્રેમી ગૃપના કિરીટ દવે, રમેશ દવે, તરૂણ દવે અને વિક્રમ ભટ્ટે મળીને, અત્યાર સુધીમાં 500 કરતાં વધારે છોડ વાવી તેમના વિસ્તારને હરિયાળો કરી દીધો છે.