''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''
રાજકોટની આ શિક્ષિકાએ દાદીમાની યાદમાં લીધો છે આ અદભુત સંકલ્પ. છેલ્લા ચાર વર્ષથી રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ સૂર્યને પાણી ધરાવી પીવે છે. આ ચોમાસામાં વાવવા માટે તેમણે 10 હજાર રોપા તૈયાર પણ કરી દીધા છે.