મિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.
વ્યવસાયે ફોટોગ્રાફર બાબુરાજ છેલ્લા 12 વર્ષથી ગાર્ડનિંગ તો કરે જ છેચ, પરંતુ કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે ભરપૂર સમય મળતાં નાનકડા બગીચાને કરીદીધો 300 કરતાં વધુ ફળ-શાકભાજીના ઝાડ-છોડથી હર્યોભર્યો. ઘરે જ બનાવેલ કમ્પોસ્ટ ખાતરમાંથી વાવે છે પૌષ્ટિક ઉત્પાદનો.
જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.
બાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.