રસાયણોથી બચવા અને ખેતીમાં થતા પૈસાના પૈસાના ધૂમાડાને અટકાવવા આજે ઘણા ખેડૂતો ગાય આધારિત અને અન્ય જૈવિક ખેતી તરફ વળ્યા છે અને ઘણાં સારાં પરિણામ પણ મેળવે છે. તો આજના જાગૃત ખેડૂતો તેમના ઉત્પાદનું પ્રોસેસિંગ કરી જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડે છે, જેથી પૂરતા ભાવ મળવાના કારણે કમાણી પણ ઘણી વધી છે.
દ્વારકાના રજનીકાંતભાઈ એકસમયે બોરવેલના બનાવવાના ધંધામાં લાખો કમાઈ રહ્યા હતા, પરંતુ એક દિવસ ખેતરમાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને શરૂ કરી ઑર્ગેનિક ખેતી. આજે ખેતીની સાથે તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરી વર્ષે કમાય છે 50 લાખ.