આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.
મદદ માટે બેન્ક બેલેન્સની નહીં પણ મોટા દિલની જરૂર છે. આ ખેડૂત પરિવાર તેમની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોની સેવા-ચાકરી કરે છે. એક રૂપિયો પણ બચતો નથી, છતાં તેમને તેનું જરા પણ દુ:ખ નથી.