લોકોને યોગ્ય પોષણ મળે તે માટે ઈન્દોરના ડૉ. પૂજા વિવિધ પ્રકારનાં ઑર્ગેનિક મશરૂમ્સ પરાલીમાં ઉગાડે છે અને બજારમાં લોકો સુધી પહોંચાડે છે, જેથી ખેડૂતોને પરાલી બાળવી ન પડે અને વધેલા સ્ટબલમાંથી જ ઈકો-ફ્રેન્ડલી વાસણો પણ બનાવે છે આ મહિલા.
2013ની ઉત્તરાખંડ દુર્ઘટનાએ દહેરાદૂનની હિરેશા વર્માના જીવનમાં પણ મોટો બદલાવ લાવ્યો. આપત્તિમાં નિરાધાર થયેલી મહિલાઓને રોજગાર સાથે જોડવા માટે તેમણે મશરૂમની ખેતી શરૂ કરી અને તેની સાથે ઘણા લોકોને તાલીમ આપવાનું પણ શરું કર્યું. આજે તેમની કંપની વિદેશમાં મશરૂમ નિર્યાત કરી રહી છે.