ચિત્રકામથી લઈને મડ વર્ક સુધીની કળા જાણતા કિશોરભાઈની સંઘર્ષની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. આજે જ્યારે દિવસેને દિવસે વ્યક્તિની કળાનું મૂલ્ય ઘટી રહ્યું છે ત્યારે ફક્ત તેના જ જોરે જિંદગીમાં પગભર થયા છે ભુજના કિશોરભાઈ.
વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપમાં કચ્છની ઘણી મોટી-મોટી ઈમારતો ધરાશયી થયી, પરંતુ સુરક્ષિત હતાં અહીંનાં પરંપરાગત ભૂંગાં, જેનું કારણ છે તેનું અનોખુ બાંધકામ