ચિત્રકામથી લઈને મડ વર્ક સુધીની કળા જાણતા કિશોરભાઈની સંઘર્ષની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. આજે જ્યારે દિવસેને દિવસે વ્યક્તિની કળાનું મૂલ્ય ઘટી રહ્યું છે ત્યારે ફક્ત તેના જ જોરે જિંદગીમાં પગભર થયા છે ભુજના કિશોરભાઈ.
માત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.