Powered by

Latest Stories

HomeTags List Kachchh

Kachchh

કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે

By Nisha Jansari

ગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.

ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારી

By Nisha Jansari

ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.

કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા

By Kaushik Rathod

કચ્છના રણમાં વર્ષોથી લોકો પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં આ અમદાવાદી મહિલાએ સ્થાનિક લોકોની મદદથી 97 ગામોમાં 675 નાનાં-મોટાં જળાશયો બનાવ્યાં અથવા પુનર્જિવિત કર્યાં. હવે તેમને ઉનાળામાં રોજી માટે નથી કરવું પડતું સ્થળાંતર

કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ

By Nisha Jansari

ગામલોકો અને સ્વયંસેવકોની મદદથી કચ્છના રણમાં બનાવ્યું 7000+ ઝાડનું જંગલ, જેમાં કારખાનામાંથી નીકળતા ગંદા પાણીને રિસાયકલ કરી પાણી સીંચ્યું

કચ્છની આ વ્યક્તિએ 971 માનસિક દિવ્યાંગોની સેવા કરી તેમના સ્વજનો સુધી પહોંચાડ્યા છે

By Mehulsinh Parmar

માનસિક દિવ્યાંગોની જ્યાં નિઃસ્વાર્થભાવે સેવા કરવામાં આવે છે તેવો કચ્છનો એક સેવાશ્રમ

'એ ભયાનક ભૂકંપના સમયે હું ભૂજમાં હતો, એ ગોજારો દિવસ ક્યારેય નહીં વિસરાય'

By Nisha Jansari

અક્ષત એ દિવસને યાદ કરતા કહે છે કે, તે બે મિનિટ ખરેખર ભયાનક હતી. કોઈને ખબર ન્હોતી કે શું થયું છે. ચારેતરફ અફરાતફરી હતી.

જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!

By Nisha Jansari

1965 અને 1971 ના યુદ્ધમાં ભારતને જીતાડવામાં મફત્વનો ફાળો છે બનાસકાંઠાના આ રબારી જાસૂસનો, પગલાંના નિશાન જોઇને સૂંઘી લેતા કેટલા ઘુસણખોરો છે, તેમની સાથે કેટલો સામાન છે અને કઈ બાજુ ગયા છે

વડીલોની એકલતા દૂર કરવા નટૂભાઇ ચલાવે છે મેરેજ બ્યૂરો, ફ્રીમાં શોધી આપે છે યોગ્ય સાથી

By Nisha Jansari

નટૂભાઇનું માનવું છે કે, પ્રેમ કોઇપણ ઉંમરે થઈ શકે છે. એટલે સમાજની ચિંતા કર્યા વગર વૃદ્ધ લોકોએ પણ લગ્ન કરી લેવાં જોઇએ. નટૂભાઇ 50 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોને જીવનસાથી શોધવામાં મદદ કરે છે.

ભૂજના આ ખેડૂતે 40 એકર વેરાન જમીનને ફેરવી મોંઘાં ફળો અને ખજૂરના નંદનવનમાં, કમાણી લાખોમાં

By Nisha Jansari

ખેતીને સમજવા માટે પહેલાં ઈઝરાયલ ગયા અને 10 દિવસ ફર્યા બાદ અહીં શરૂ કર્યું ઉચ્ચ ગુણવત્તાની ખજૂરનું ઉત્પાદન