વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.
કેશોદનો આ ખેડૂત પરિવાર આધુનિક જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ થઈ. ખેતરમાં પંપ અને ઘરમાં એસી સહિત બધી જ સુવિધાઓ ચાલે છે સોલર પાવરથી, પાણી વાપરે છે વરસાદનું અને ફળો-શાકભાજી ખાય છે ઘરે ઉગાડેલ. ઘરના લીલા કચરામાંથી જ બનાવે છે ખાતર પણ.
શિક્ષકની નોકરી કરતા પ્રમોદ ગોદારા અને ASI ચંદ્રકાંતા છેલ્લા અઢી-ત્રણ વર્ષથી જૈવિક ખેતી કરે છે અને તેમનાં ખેતરોને 'એગ્રો-ટૂરિઝ્મ' તરીકે વિકસિત કરે છે. ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ અને સોલાર પંપની મદદથી આપે છે પાણી અને છાણિયા ખાતરથી પોષણ. આજે આવક થઈ ત્રણઘણી.