મૂળ રાજપીપળાના વતની હિરેન પંચાલનો અત્યારે ધરપુરમાં ખેતીનાં ઓજારોનો વર્કશોપ છે. માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં તેમના દ્વારા બનાવેલ આ હાથ ઓજારો એટલાં લોકપ્રિય બનવા લાગ્યાં છે કે, તેઓ 5000 થી વધારે ઓજાર વેચી ચૂક્યા છે. તેમણે ખેતીનાં કામ સરળ કરવા, મહેનત ઘટાડવા અને સલામતી માટે લગભગ 35 જેટલાં ઓજારો વિકસાવ્યાં છે. ભારતનાં અલગ-અલગ રાજ્યોની સાથે-સાથે અમેરિકા, જર્મની સહિતની જગ્યાઓએ પણ તેમણે તેમનાં આ ઓજાર વેચ્યાં છે.