ખેડા કમ્યુનિકેશન્સ પ્રોજેક્ટ માટે અમદાવાદના ઈસરો કેમ્પસમાં ઘણા વૈજ્ઞાનિક, એન્જિનિયર, લોક સંસ્કૃતિ વિશેષજ્ઞ અને ફિલ્મ નિર્માતા ભેગા થયા. જે વાસ્તવમાં કઈંક એવું હતું જે દુનિયાની કોઈ પણ સ્પેસ એજન્સીમાં પહેલાં જોવા નહોંતું મળ્યું.
મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.
વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.