દાદાભાઈ નવરોજીની પૌત્રી પેરિનબેન કેપ્ટન એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતાં. તેમનો જન્મ 12 ઑક્ટોબર, 1888 ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે 1919 થી ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રીય સ્ત્રી સભાના ગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી.
1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે કેટલાક એવા લોકોનો પણ અમૂલ્ય ફાળો છે, જેમણે આર્મીમાં ન હોવા છતાં આપી છે સેવાઓ, આવા જ ભુજના એક સજ્જન વિશે જણાવી રહ્યા છીએ આજે અમે.
રમા ખાંડવાલા કહે છે, "હું રોજ રાત્રે માતાનો ખોળો જંખતી, સૂવા માટે રડતી અને સવારથી ડરતી. પરંતુ નેતાજી કહેતા, આ તો માત્ર શરૂઆત છે, દેશની લડાઈમાં જવું હોય તો હિંમત રાખો."