તમિલનાડુના એક ખેડૂત આર ગુરુસામીએ આસપાસના વિસ્તારમાં કેટલાક ભટકતા હરણોની સંભાળ રાખવા માટે તેમની મોટાભાગની પૈતૃક જમીન છોડી દીધી હતી. આજે, નજીકના જંગલમાં પાણી અને ખોરાકની અછત વચ્ચે પણ, તેમની જમીન 1,800 થી પણ વધુ હરણો માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. એટલું જ નહીં, આ હરણો માટે ખેતરમાં તળાવો પણ બનાવડાવ્યાં.