પ્રદીપ અને તેમના પરિવાર એ ફક્ત ‘Eco Friendly Home’ જ નથી બનાવ્યું પણ તેઓ ટકાઉ પદ્ધતિ થી જીવન પણ જીવી રહ્યા છે. રસોઈ માટે જાતે જ ઘરમાં બને છે બાયોગેસ તો તેમાંથી બનેલ ખાતરથી ધાબામાં ઊગે છે બધાં જ ફળ-શાકભાજી. નહાવા-ધોવાના અને રસોઈના પાણીને પણ રિસાયકલ કરી વાપરે છે બગીચા માટે.