પ્રાકૃતિક ખેતી એ ભારતનું ભવિષ્ય બનવા જઈ રહી છે. આજે ઘણા નવ યુવાનો અને યુવતીઓ સારો એવો પગાર આપતી નોકરીઓ છોડીને જૈવિક ખેતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. પાટણના તન્વીબેનએ પણ મધમાખી ઉછેર દ્વારા મધના ઉત્પાદનનું વેચાણ કરી આ દિશા તરફ પ્રયાણ કર્યું છે.
રિટાયર્ડમેન્ટમાં પિતાનો સમય કોઈ સારા કામમાં પસાર થાય એ હેતુથી મૂળ ટેક્સટાઇલ બિઝનેસમેન મેહુલભાઈએ ભાવનગરની પોતાની જમીન પર ડેરી ફાર્મ શરૂ કર્યું. આજે અહીં શુદ્ધ-સાત્વિક ઉત્પાદનો બનાવવાની સાથે-સાથે આખા ગામને પીવાલાયક પાણી પણ પૂરું પાડે છે.