વરસાદ તો પડી રહ્યો છે પરંતુ પાણી નદી-નાળાંમાં વહી જવાથી ચોમાસુ પૂરું થતાં જ પાણીની તંગી શરૂ થઈ જાય છે, આ ઉપરાંત ભૂગર્ભજળનું સ્તર પણ સતત નીચું થઈ રહ્યું છે. આ બધાથી બચવા અહીં જણાવેલ રીતોથી બચાવો વરસાદના વહી જતા પાણીને.
ડૉ. રાજારામ (સ્વર્ગીય) અને તેમનાં પત્ની ડૉ. બિનય રાજારામે બહુ પ્રેમથી લગભગ 20 વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવ્યું હતું, જેમાં 40 કરતાં વધારે ઝાડ-છોડ છે અને દર વર્ષે બે લાખ લીટર વરસાદનું પાણી બચાવવામાં આવે છે.