વડોદરાની આ સંસ્થા પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે લોકોને તેમના પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે. ઉપરાંત લોકોને તેની ટ્રેનિંગ આપી રોજીના રસ્તા પણ ઊભા કરે છે.
વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.
વર્ષ 1998 માં કૌસ્તુભ તામ્હનકરે 'ગાર્બેજ ફ્રી લાઇફસ્ટાઇલ' પર કામ કરવાનું શરૂ કરી હતી. આજે તેમના ત્યાંથી કોઇપણ જાતનો કચરો ડંપયાર્ડ કે લેન્ડફિલમાં નથી જતો!