આજે પણ દેવગઢબારીયા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા લોકો છે, જેમને જમવામાં દાળ-ભાત-શાક-રોટલી મળી જાય તો સોનાનો સૂરજ ઊગ્યો ગણાય, આવા લોકોને 9 વર્ષથી મફતમાં ફુલ થાળી ખવડાવે છે 66 વર્ષના નિકુંજદાદા.
જામનગરનું ‘ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટ’ વર્ષોથી વિનામૂલ્યે રોજના જમાડે છે 1200 લોકોને, ટિફિન પહોંચાડવા માટે વસાવ્યું છે ઇલેક્ટ્રિક વાહન, અને આપે છે 21 લોકોને રોજગારી. સવાર-સાંજ સમયસર પહોંચાડે છે ગરમા-ગરમ જમવાનું એ પણ એકદમ મફત.