માર્કેટિંગ સાથે બીબીએ કરેલ જલ્પાબેનનાં કાર્યો અંગે આખુ રાજકોટ જાણે છે. ક્યાંય પણ કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હોય કે અસહાય, તાત્કાલિક દોડી જાય છે જલ્પાબેન. તેમના જેવા જ કેટલાક નિસ્વાર્થભાવે સેવા કરતા લોકો પણ જોડાયા છે તેમની સાથે. તેઓ મળીને હવે અસહાય લોકોને આશરો આપવા શેલ્ટર હાઉસ ખોલવા પણ ઈચ્છે છે.