રાજેશભાઈનો કેરીનો બગીચો 65 એકરમાં ફેલાયેલ છે, જેમાં મોટાભાગે હાપુસ અને કેસર કેરીના આંબા છે. શરૂઆતમાં તેમના દાદા મગનલાલ શાહે એક બગીચામાં સેંકડો ઝાડ વાવ્યાં હતાં. આ ઝાડમાં 100 ઝાડ એવાં છે, જે અત્યારે 125 વર્ષનાં અને 500 ઝાડ એવાં છે જે 80 વર્ષનાં થઈ ગયાં છે.