મહેસાણાનું આ દંપતિ રસ્તે રઝળતાં ભિખારીઓને ભણાવી પગભર કરે છે અને યોગ્ય ઉંમરે લગ્ન પણ કરાવી આપે છે. અત્યાર સુધી કરાવી ચૂક્યાં છે 122 લગ્ન. મહેનત કરી કમાતાં કર્યાં ઘણાં લોકોને.
મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.