રાજેશભાઈનો કેરીનો બગીચો 65 એકરમાં ફેલાયેલ છે, જેમાં મોટાભાગે હાપુસ અને કેસર કેરીના આંબા છે. શરૂઆતમાં તેમના દાદા મગનલાલ શાહે એક બગીચામાં સેંકડો ઝાડ વાવ્યાં હતાં. આ ઝાડમાં 100 ઝાડ એવાં છે, જે અત્યારે 125 વર્ષનાં અને 500 ઝાડ એવાં છે જે 80 વર્ષનાં થઈ ગયાં છે.
ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.