આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.
માનવતાવાદી કાર્ય કરતા મોતી રૂપી વ્યક્તિઓની માળામાં આજે ધ બેટર ઇન્ડિયા પર એક નવા મોતીનો ઉમેરો થયો છે. અહીં અમે વતા કરી રહ્યા છીએ રાજકોટના ઉપલેટામાં સેવાની ધુણી ધખાવનાર એક મહિલાની કે જેઓ નિઃસ્વાર્થ સેવાના આ કાર્યમાં પોતાની જિંદગી ખપાવી રહ્યા છે.
રખડતાં કૂતરાંને જમાડવાથી લઈને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવો, જેથી રાત્રે એક્સિડન્ટનો ભોગ ન બને અને ઘાયલ કૂતરાંની સારવાર સહિતનાં કામ કરે છે અમદાવાદની ઝંખના