અમદાવાદમાં રહેતાં અમૃતભાઈ પટેલ, રેલવેમાં લોકો પાયલોટ છે. અને મહિને લાખોમાં પગાર મેળવે છે, પરંતુ આજની આ 21મી સદીમાં લાખો કમાતા અમૃતભાઈ સાવ સાદગી ભર્યુ જીવન જીવે છે અને તેમના પગારમાંથી મોટાભાગની રકમ જે વિદ્યાર્થીઓને ભણવા માટે પૈસાની જરૂર હોય અથવા કોઈ દિકરીનાં લગ્નમાં કે કોઈની સારવારમાં પૈસાની જરૂર હોય તેમને આર્થિક મદદ કરે છે. જો કોઈને પૈસાની મદદ કરીએ તો જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડે એવી રીતે કરવી જોઈએ, બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અમૃતભાઈ કહે છે