વર્ષ 1998 માં કૌસ્તુભ તામ્હનકરે 'ગાર્બેજ ફ્રી લાઇફસ્ટાઇલ' પર કામ કરવાનું શરૂ કરી હતી. આજે તેમના ત્યાંથી કોઇપણ જાતનો કચરો ડંપયાર્ડ કે લેન્ડફિલમાં નથી જતો!
ગામડે-ગામડે મશીન આપી દીપકભાઇ વ્યાસ અને વિજયભાઇ સોલંકીની જોડીએ 6000 બહેનોને કામ આપ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બહેનોની મંડળી બનાવે છે અને તેમની પાસે દિવેટો બનાવડાવી દીપકભાઇ ખરીદે છે અને ભારતભરના માર્કેટમાં તેને પહોંચાડે છે.
ઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.
હું દિલ્હીથી નિરાશ થઈને પોતાના ગામમાં આવ્યો હતો ત્યારે કામની શોધમાં જ હતો. આ દરમિયાન મારુ ધ્યાન બિચ્છૂ ઘાસ પર ગયું. જેનો ઉપયોગ ગામના વૃદ્ધ વડીલો શરદી-તાવમાં કરતા હતાં. તે સમયે કોરોના વાયરસનો કહેર પણ વધતો જતો હતો. બજારમાં આ રીતના ઔષધિય ઉત્પાદનની માગ પણ વધતી જતી હતી. જેથી મને બિચ્છુ ઘાસથી હર્બલ ટી બનાવવાનો વિચાર આવ્યો હતો.'
આપણો દેશ વિવિધ વિદ્યાઓમાં પારંગત હુનરશાળીઓનું જાણીતું ક્ષેત્ર છે. સંભાગના કોંડાગાંમ જિલ્લામાં મસૌરા ગ્રામ પંચાયતના કુંભાર પરામાં રહેતા અશોક ચક્રધારીએ એક જાદુઇ દિવો બનાવ્યો છે, જેની માંગ આખા દેશભરમાંથી આવી છે. આ દિવાને ખરીદવા માટે દિલ્હી, મુંબઈ, ભોપાલ વગેરે જગ્યાઓથી આવવા લાગ્યા છે.