સેનામાંથી નિવૃત્ત થયા બાદ 50 વર્ષીય રેવતસિંહે કઈંક એવું કરવાનું નક્કી કર્યું, જેનાથી પ્રકૃતિની નજીક રહી શકાય. આ માટે તેમણે તેમના ખેતરમાં 2000 ઝાડ વાવ્યાં અને એક ખીજડા પર ટ્રી હાઉસ પણ બનાવ્યું. તળાવ, પક્ષીઓ અને હરિયાળીના સાનિધ્યવાળું આ ફાર્મ એકદમ થીમ પાર્ક જેવું જ છે.