આ યુવાન છે સુરતના મહુવા તાલુકાના નાનકડા ગામ વહેવલનો દિવ્યાંગ યુવાન દિવ્યેશ.
આમ તો દિવ્યેશભાઈ તેમની દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર છે.
પરંતુ પિતાના અવસાન બાદ પરિવારને મદદરૂપ થવા રોજ ખાખરાના પાનમાંથી 100-150 પતરાળી બનાવે છે.
પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગના કારણે લોકોમાં હવે પતરાળીનું ચલણ ખૂબ ઘટી ગયું છે.
જમ્યા બાદ આ પતરાળી માટીમાં દબાવી દેવાથી તેની જાતે જ ખાતરમાં ફેરવાઈ જાય છે.
જરૂર છે ફરીથી પતરાળીની પહેલની, જેથી આદિવાસીઓને રોજી મળે અને પર્યાવરણનું સંવર્ધન થાય.