Placeholder canvas

એક શિક્ષકની પહેલથી 3 લાખ પ્લેટ ભોજનની બચત થઈ, 350 બાળકોની ભૂખ સંતોષાઈ રહી છે!

એક શિક્ષકની પહેલથી 3 લાખ પ્લેટ ભોજનની બચત થઈ, 350 બાળકોની ભૂખ સંતોષાઈ રહી છે!

ચંદ્રશેખર પોતાના પુત્રનાં જન્મદિવસની પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા, રસ્તામાં કચરાની પેટીમાંથી બે બાળકોને ખાવાનું વીતા જોયા અને પછી...

વર્ષ 2016માં, પશ્ચિમ બંગાળના અસાનસોલમાં રહેતાં એક શિક્ષક ચંદ્ર શેખર કુંડુએ ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન’ અંતર્ગત ભારતના ફૂડ કોર્પોરેશન પાસેથી ખોરાકના બગાડ વિશે માહિતી માંગી હતી. જવાબ આવ્યો, “ભારતમાં દર વર્ષે 22,000 મેટ્રિક ટન અનાજ વેડફાય છે.” જો આ ખોરાક બચાવવામાં આવે તો 1 કરોડથી વધુ વસ્તીને ભોજન આપી શકાય છે.

RTI નાખવાનો વિચાર ચંદ્રશેખરને કેવી રીતે આવ્યો? તેના વિશે પુછવા પર તે જણાવે છે

“અમે મારા પુત્ર શ્રીદીપના જન્મદિવસ પર પાર્ટી રાખી હતી. મેં પાર્ટી બાદ જે ખોરાક બાકી હતો તે હોટલના સ્ટાફને આપ્યો. આ પછી પણ, ત્યાં ઘણો ખોરાક બચ્યો હતો જે ફેંકી દેવામાં આવ્યો હતો. તે સમયે મને ખબર નહોતી કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. જ્યારે અમે ઘરે પરત ફરી રહ્યા હતા અને પૈસા ઉપાડવા માટે હું એટીએમ પર રોકાયો ત્યારે મેં ત્યાં જોયું કે નજીકમાં ડસ્ટબિનમાંથી બે બાળકો કંઈક ખાઈ રહ્યા હતા. આ સ્થિતિમાં તે બાળકોને જોતાં મને ખૂબ જ ખરાબ લાગ્યું અને મેં વિચાર્યું કે અમે હમણાં જ બધો ખોરાક વ્યય કરીને આવી રહ્યા છીએ અને અહીં આ બાળકોને કચરામાંથી ઉપાડીને ખાવું પડી રહ્યુ છે.”

Chandra Shekhar Kundu
Chandra Shekhar Kundu

ચંદ્ર શેખરે તે બાળકોને તેમના ઘરે લઈ ગયા, તેમને ખવડાવ્યુ અને પછી તેમને બીજી કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ મોકલી. તે રાત્રે તે ઉંઘી શક્યો નહી. તેમણે આ ઘટનાને તેમના જીવન માટેનો સંદેશ માન્યો અને તેના સ્તરે કંઇક કરવાનું નક્કી કર્યું.

તેમણે તેમની કોલેજની કેન્ટીન અને એવી જગ્યાઓ મળી કે જ્યાં દરરોજ વધારે ખોરાક રાંધવામાં આવે છે. તેમણે આ સ્થળોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાત કરી હતી અને ગરીબોમાં બચેલા ખાદ્ય વિતરણની પરવાનગી માંગી હતી.

બાકીના ખોરાકને એકત્રિત કરવા અને વહેંચવા માટે તેઓએ વાસણો ખરીદ્યા. અઠવાડિયામાં ચાર દિવસ તેમણે જરૂરીયાતમંદોને અન્ન વહેંચવાનું શરૂ કર્યું. તે કોલેજ પછી સાંજે ખાવાનું વહેંચવાનું કામ કરતા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના અભિયાન વિશે પોસ્ટ કર્યું હતું. તે જણાવે છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પાછળનો તેમનો હેતુ મહાન બનવાનો નહોતો, પરંતુ લોકો માટે તેમના કાર્યને સુલભ બનાવવાનો હતો. તેમણે લોકોને અન્નનો બગાડ અટકાવવા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા જાગૃત કર્યા.

લોકોનો પ્રતિસાદ ખૂબ સારો રહ્યો અને તેમનો કાફલો આગળ વધતો રહ્યો. 2016માં, તેમણે તેમના કાર્યને મોટા પાયે લઈ જવા માટે, ફૂડ, એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ (FEED) ની એક સામાજિક સંસ્થાની સ્થાપના કરી. આના માધ્યમથી તેમણે અસાનસોલ અને કોલકાતાની મોટી શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કર્યો અને તેઓને તેમના છાત્રાલયો અને કેન્ટિનોમાં બાકી રહેલો ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરી.

Food

“અમે અમારી સંસ્થા હેઠળ વિવિધ પ્રોજેક્ટ શરૂ કર્યા છે જેમ કે કમિટમેન્ટ 5 365 દિવસ,” પ્રોટીન ક્લબ “વગેરે. તેમણે ‘કમિટમેન્ટ 365 દિવસ’ પ્રોજેક્ટ માટે સીઆઈએસએફ બેરેક, આઈઆઈએમ, કોલકાતા અને કેટલીક અન્ય ઓફિસ સાથે ભાગીદારી કરી છે. અમારા સ્વયંસેવકો અહીંથી ખોરાક ભેગો કરે છે અને જરૂરીયાતમંદોને વહેંચે છે,” તેમણે કહ્યું.

તેમનો હેતુ ‘પ્રોટીન ક્લબ’ દ્વારા બાળકોને કુપોષણથી મુક્ત કરવાનો છે. ચંદ્ર શેખર અને તેમની ટીમે તેમના કાર્ય દરમિયાન સમજી લીધું હતું કે ડિનર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ત્યાં હંમેશાં ઝૂંપડપટ્ટી, ફૂટપાથ પર રહેતા બાળકોને રાત્રે ખાવા માટે કંઈ જ મળતું નથી અને તેથી તેઓ કુપોષિત હોય છે.

“અમે રાત્રિના સમયે બચેલો ખાદ્ય પદાર્થ મેળવવા પર નિર્ભર ન રહી શકીએ. ક્યારેક તમને ખોરાક મળે છે, તો તમને ક્યારેક મળતો નથી. આવી સ્થિતિમાં, અમે વિચાર્યું કે શા માટે રાત્રે બાળકોને જાતે રસોઇ બનાવી અને ખવડાવવા જોઈએ. આ માટે, અમે બે-ત્રણ સ્થળોએ વિવિધ લોકોની નિમણૂક કરી. તેમને સંસ્થા તરફથી તમામ માલ આપવામાં આવે છે અને તેઓ બાળકોને રસોઈ બનાવી ખવડાવે છે.”

‘કમિટમેન્ટ 365 દિવસ’ પ્રોજેક્ટ ચાર સ્થળોએ 190 બાળકોને ખવડાવી રહ્યો છે અને ‘પ્રોટીન ક્લબ’ રાત્રે 3 સ્થળોએ 180 બાળકોને ભોજન પૂરું પાડે છે. તેમના કહેવા મુજબ, તેઓએ અત્યાર સુધીમાં લગભગ 3 લાખ પ્લેટો ફૂડની બચત કરી છે.

Gujarati News

ચંદ્ર શેખરે બાળકોને સારો ખોરાક આપ્યા ઉપરાંત બીજી ઘણી પહેલ શરૂ કરી છે. આ બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે તેઓએ સાંજની શાળાઓ પણ શરૂ કરી છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ થોડો સમય સાંજે વિતાવે અને જરૂરિયાતમંદ બાળકોને ભણાવે. આજે આ શાળાઓ 7 સ્થળોએ ચાલી રહી છે અને 9 શિક્ષકો આ બાળકોને ભણાવે છે.

“એકવાર કોલકાતામાં મેં એક બાળકને જોરદાર તાવમાં જોયો હતો, પરંતુ માતાપિતા તેને લઈને હોસ્પિટલમાં જઈ રહ્યા ન હતા. જ્યારે મેં તેની સાથે વાત કરી, ત્યારે હું સમજી ગયો કે તેમનું દૈનિક જીવન તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. જો તેઓ એક દિવસ લે છે અને ડૉક્ટરને ત્યાં લાઈનમાં ઉભા રહે છે, તો પછી તેમના ઘરે જમવાનું રહેશે નહીં. તે મને તે બાબતો વિશે વિચારવા માટે મજબૂર કરે છે,”તેમણે કહ્યું.

ચંદ્ર શેખરે તેના કેટલાક મિત્રો સાથે આ વિશે વાત કરી, જેમાં ઘણા ડોકટરો હતા. જેમણે પોતે જ આગળ વધીને આ કાર્યમાં ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે તેમણે ડો.અતુલ ભદ્રની સાથે મળીને ‘ફૂટપાથ ડિસ્પેન્સરી’ નો પાયો નાખ્યો હતો. ડૉક્ટર ભદ્રાએ તેમના જેવા ઘણા સારા હેતુવાળા ડોકટરોને તેની સાથે જોડ્યા.

Positive News

આ પ્રોજેક્ટ અંતર્ગત, આ ડોકટરો મહિનામાં એક કે બે દિવસનો સમય કાઢે છે અને આ ગરીબ બાળકોની સારવાર કરે છે. લોકોને તપાસે, તેમને દવાઓ આપે, ઇન્જેક્શન આપે, આ બધા ડોકટરો મફતમાં કરે છે. અત્યાર સુધીમાં આ લોકો આશરે 150 બાળકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી ચૂક્યા છે.

“સાથે જ, અમે‘ ભગવાનની દુકાન ’નામે કપડાં, સ્ટેશનરી, બેગ વગેરે સ્ટોલ્સ પણ લગાવ્યા છે. અહીંના સક્ષમ લોકો તેમની જૂની પણ ઉપયોગી વસ્તુઓ આપી શકે છે અને જેને જરૂર હોય તે તે અહીંથી લઇ શકે છે,” ચંદ્ર શેખરે કહ્યું.

આજે, તેમના અલગ અલગ અભિયાનોએ અસાનસોલ અને કોલકાતામાં આશરે એક હજાર બાળકોના જીવનને આકાર આપ્યો છે. હવે તેની તમામ પહેલ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં પણ પહોંચી રહી છે. તેમણે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સામાજિક સંસ્થાઓને તેમની પહેલ જણાવી અને તેઓને આ પ્રોજેક્ટ શરૂ કરવા જણાવ્યું.

ભંડોળ વિશે વાત કરતા, તેમણે કહ્યું કે તેમણે શરૂઆતમાં પોતાનું અભિયાન ભંડોળ જાતે પૂરું પાડ્યું અને પછી ધીમે ધીમે તેના સાથીદારો, પરિવાર અને સંબંધીઓની મદદ મળી. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા ભંડોળ મેળવવા માટે તેમનો સંપર્ક કરે છે, પરંતુ આ નાણાં જાતે લેવાને બદલે, તેઓ તેમના એક પ્રોજેક્ટને સ્પોન્સર કરવા કહે છે. આ રીતે તેમની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રહે છે અને તેમને સહાય પણ મળે છે.

Unique

ચંદ્ર શેખર કહે છે કે ઘણીવાર લોકોને લાગે છે કે કોઈની મદદ કરવી એ એક મોટું અને મુશ્કેલ કાર્ય છે. કાર્ય મોટું છે પરંતુ મુશ્કેલ નથી, કારણ કે જ્યારે કંઈક સાથે મળીને કરવામાં આવે છે, ત્યારે કંઈપણ મુશ્કેલ નથી.

“કોઈના જીવનમાં પરિવર્તન લાવવાનું વિચારતા પહેલા, તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો જોઈએ. જો તમારી પાસે ક્યાંકથી આમંત્રણ છે અને તમે ત્યાં જઈ શકશો નહીં, તો તેમને અગાઉથી જણાવો. આ સાથે, સામે વાળા તે મુજબ ખોરાકનો ઓર્ડર આપશે અને ખોરાક બગાડશે નહીં. તે એક નાનું પગલું છે પરંતુ તે મોટું પરિવર્તન લાવી શકે છે,” તેમણે અંતે કહ્યું.

જો તમે આ વાર્તાથી પ્રભાવિત થયા છો અને ચંદ્ર શેખર કુંડુનો સંપર્ક કરવા માંગતા હો, તો 9647627616 પર કૉલ કરો. તેમના અભિયાનો વિશે જાણવા માટે, તેમનું ફેસબુક પેજ તપાસી શકો છો!

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: વાપીના આ દંપતિએ આપ્યો છે 300 કરતાં પણ વધુ પ્રાણીઓ-પક્ષીઓને સહારો, દર મહિને ખર્ચે છે 2 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X