Placeholder canvas

માટીથી બનેલ આ ઘરમાં નથી જરૂર AC-કુલરની, રસોઈ બને છે સોલર કૂકરમાં, બાથરૂમનું રિસાઈકલ્ડ પાણી જાય ગાર્ડનમાં

માટીથી બનેલ આ ઘરમાં નથી જરૂર AC-કુલરની, રસોઈ બને છે સોલર કૂકરમાં, બાથરૂમનું રિસાઈકલ્ડ પાણી જાય ગાર્ડનમાં

વાંચો કેવી રીતે માટીના ઘરમાં રહીને, નકામી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરે છે ફરીદાબાદમાં રહેતી વીણા લાલ.

હરિયાણાના ફરીદાબાદના રહેવાસી વીણા લાલ કહે છે “હું હંમેશા એ વાતે સજગ હતી કે જ્યારે પણ હું મારું ઘર બનાવીશ, તે વધુ ને વધુ પ્રકૃતિને અનુકૂળ હોય. તેથી જ મેં સસ્ટેનેબલ ઘર પર પણ ઘણું સંશોધન કર્યું. પછી મેં જે વિસ્તારમાં જમીન લીધી ત્યાં ઉપલબ્ધ સંસાધનો જોયા.” પર્યાવરણ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહેતી વીણા છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ક્ષેત્રે કાર્યરત છે. 1997 થી, તે એક કેર હોમ ચલાવી રહી છે અને એક સંસ્થા દ્વારા કપડાં અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહી છે.

ઘરથી લઈને તેના વ્યવસાય સુધી, દરેક જગ્યાએ, તેનો પ્રયાસ પ્રકૃતિ અનુકૂળ રીતે કામ કરવાનો છે. તેમણે કહ્યું કે વર્ષ 1997 માં તેમણે ‘કર્મ માર્ગ’ કેર હોમ શરૂ કર્યું. તે ફરીદાબાદમાં આવેલું છે અને અત્યારે આ ઘરમાં વિવિધ ઉંમરના 50 બાળકો રહે છે. વધુમાં, તેમણે 2003 માં ‘જુગાડ’ નામની સંસ્થા શરૂ કરી. ‘જુગાડ’ દ્વારા કાપડ, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કચરાના કચરામાંથી સર્જનાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે, જે બજારમાં વેચાય છે. આ ઉત્પાદનોના વેચાણ દ્વારા, આ સંસ્થા નજીકના ગામોના યુવાનો અને મહિલાઓને રોજગારીની તકો અને કમાણીનું માધ્યમ પૂરું પાડે છે.

વીણા બહેન કહે છે, “જ્યારે મેં મારું પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું, ત્યારે મેં વિચાર્યું કે તેને કેર હોમની નજીક જ બનાવવું જોઈએ. જેથી હું આ બાળકોની નજીક રહીને કામ કરી શકું.” લગભગ એક વર્ષ પહેલા, તેનું પોતાનું ઘર બનીને તૈયાર થયું, જે ન માત્ર પ્રકૃતિ-અનુકૂળ જ છે, પરંતુ તેની જીવનશૈલી પણ પ્રકૃતિ-અનુકૂળ છે.

solar powered home

વીણા બહેને કહ્યું કે ઘરની ડિઝાઈન કરતી વખતે, તેણે નક્કી કર્યું કે તે ફક્ત એટલા જ વિસ્તારમાં ઘર બનાવશે જેટલી તેની જરૂર છે. કારણ કે, ઘર રહેવા માટે જરૂરી છે બતાવવા માટે નહીં. તેમના ઘરમાં બે રૂમ, રસોડું, ડ્રોઈંગરૂમ અને છજુ છે. તેઓએ બાથરૂમ અને વોશરૂમને પણ રૂમ સાથે અટેચ કર્યા નથી. વીણા બહેનનું કહેવું છે કે તેણે શરૂઆતથી જ નક્કી કરી લીધું હતું કે તે ઘરમાં ‘ડ્રાય ટોયલેટ’ બનાવશે. જેથી ન્યુનત્તમ પાણીનો ઉપયોગ થાય અને બાગકામ માટે પોષણયુક્ત ખાતર ઉપલબ્ધ થાય. “ઉપરાંત, અમે ઘરની સાઇટમાંથી જે પણ માટી નીકળે તેમાંથી ઇંટો બનાવી. મોટેભાગે અમે આ ઇંટોનો ઉપયોગ કર્યો છે. ભાગ્યે જ અમારે બહારથી ઇંટો ખરીદવી પડતી હતી.” વિણા બહેને જણાવ્યું.

ઘરના નિર્માણમાં મોટાભાગે માટીનો ઉપયોગ થયો છે. તેઓએ સિમેન્ટનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો છે. તેના ઘરનું પ્લાસ્ટર પણ માટીથી કરવામાં આવેલું છે. ઘરના ફ્લોર માટે, તેમણે સ્થાનિક વિસ્તારોમાં મળતા પથ્થરનો ઉપયોગ કર્યો છે. તો ઘરની છત માટે, આરસીસીને બદલે, ‘ગેટર-સ્ટોન’ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે છત બનાવવા માટે આ ખૂબ જૂની તકનીક છે. હરિયાણાના ગામોમાં મોટાભાગના ઘરોની છત આ તકનીકથી બનાવવામાં આવેલી જોવા મળે છે. આ તકનીકમાં લોઢાના ‘ગાર્ટર’ અને સ્થાનિક પથ્થરોનો ઉપયોગ થાય છે. તે આરસીસી કરતાં વધુ મજબૂત અને લાંબા સમય સુધી ચાલતી તકનીક છે.

solar powered home

“ઉપરાંત, મેં રસોડા અને બાથરૂમના પાણીના નિકાલ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. બાથરૂમ અને રસોડામાં પાણીનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકો એ હકીકત પર ધ્યાન આપતા નથી કે આ પાણીને બહાર વેડફવાને બદલે, આપણે તેનો ઉપયોગ બાગકામ માટે અથવા ભૂગર્ભજળનું સ્તર વધારવા માટે કરી શકીએ છીએ. મારા ઘરમાં રસોડામાં અને બાથરૂમમાં તમામ પાઈપો એવી રીતે લગાવવામાં આવી છે કે આ પાણી અમારા બાગમાં જાય અને ત્યાં કેળાના છોડ રોપવામાં આવ્યા છે કારણ કે તેમના મૂળ ગંદા પાણીને ફિલ્ટર કરે છે.

સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી અને ગેસ પણ બચાવે છે
વીણા બહેન કહે છે કે તેણે સૌ પ્રથમ કેર હોમ માટે સોલર સિસ્ટમ લગાવી હતી. આથી તેમને કેર હોમના બીલમાં પણ ઘણી બચત થઈ. તેમણે કહ્યું, “પહેલા કેર હોમનું વીજળી બિલ મહિનામાં 10 થી 15 હજાર રૂપિયા આવતું હતું, પરંતુ હવે સૌર ઉર્જાના ઉપયોગને કારણે તે માત્ર ત્રણ-ચાર હજાર રૂપિયા આવે છે. કેર હોમ ઉપરાંત, મારું પોતાનું ઘર પણ સૌર ઉર્જાથી પ્રકાશિત થઈ રહ્યું છે. મારે મારા ઘરમાં AC અથવા કુલરનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. “
તેણે કહ્યું કે ઉનાળાની સિઝનમાં, તેનો આખો પરિવાર રાત્રે ટેરેસ પર સૂઈ જાય છે, જેના કારણે પંખાની જરૂર પડતી નથી. રૂમમાં વિદ્યુત ઉપકરણોનો ઓછો ઉપયોગ થાય છે. તે ખોરાક પણ સોલર કૂકરમાં જ રાંધે છે.

Veena Lal

તેમણે કહ્યું, “અમારા ઘરમાં મોટાભાગનો ખોરાક સોલર કૂકરમાં જ રાંધવામાં આવે છે. દાળ, ચોખા અને અન્ય વસ્તુઓ પકવવા માટે, સોલર કૂકર ખૂબ ફાયદાકારક છે. આમાં, તમારા ખોરાકને સતત જોવાની જરૂર નથી અને ન તો તેમાં ખોરાક બળી જાય છે. પરંતુ જો તમે ગેસ પર રાંધો તો જરા નજર ચુકી તો તમારો ખોરાક બરબાદ થઈ જાય છે. સોલર કૂકરમાં ખોરાક ધીમે ધીમે પાકે છે એટલે તે વધુ પૌષ્ટિક પણ હોય છે. તેણી કહે છે કે અગાઉ જે ગેસ સિલિન્ડર માત્ર એક મહિના સુધી ચાલતું હતું, હવે તે લગભગ બે મહિના સુધી સરળતાથી ચાલે છે.

જાતે જ પોતાના માટે ફળો અને શાકભાજી ઉગાડે છે
વીણા બહેન માત્ર તેના રસોડા માટે જ નહીં પરંતુ કેર હોમ માટે પણ શાકભાજી અને ફળો મોટાભાગે જાતે જ ઉગાડે છે. વીણા કહે છે કે તેણે પોતાની જમીન પર બાગકામ માટે વધુ જગ્યા છોડી છે. ફળો અને શાકભાજીના વૃક્ષો અને છોડ સિવાય, પીપળો, વડ, લીમડો વગેરે જેવા કેટલાક હર્યાભર્યા અને છાયો આપતા વૃક્ષો વાવ્યા છે. “આજકાલ લોકોએ પ્રકૃતિ માટે હર્યાભર્યા અને છાયા આપતા વૃક્ષો રોપવાનું બંધ કરી દીધું છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં નાના વૃક્ષો અને છોડ રોપતા હોય છે. પરંતુ અમે કેમ્પસમાં તમામ પ્રકારના રોપા રોપ્યા છે.”

best use of waste material

તદુપરાંત, તેમને શાકભાજી માટે બજાર પર નિર્ભર રહેવાની જરૂર નથી. બાળકો પણ મોટાભાગે તેમના કેમ્પસમાં વાવેલા વૃક્ષોમાંથી ફળો ખાય છે. વીણા કહે છે કે તે બાગકામ માટે રસોડા અને બાથરૂમના પાણીનો ફરીથી ઉપયોગ કરી રહી છે. પરંતુ આ માટે તેણે પોતાની ઘણી આદતો બદલી છે. ઉદાહરણ તરીકે, રસોડામાં વાસણ ધોવા માટે, હાનિકારક રસાયણો ધરાવતા સાબુ-પાઉડરને બદલે, બાયોએન્ઝાઇમ્સ અને રીઠા પાવડરનો ઉપયોગ કરે છે. બાથરૂમમાં નહાવા અને કપડાં ધોવા માટે પણ પ્રાકતિક વસ્તુઓ વપરાય છે.

તેમણે કહ્યું, “તમે જેટલી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરશો, પાણી ઓછું પ્રદૂષિત થશે અને આ પાણીને સરળ પદ્ધતિઓ દ્વારા ફિલ્ટર કરવું અને ફરીથી તેનો ઉપયોગ કરવો પણ સરળ બનશે. એટલા માટે અમારી પાસે અમારા ઘરમાં અને કેર હોમમાં હાનિકારક રસાયણો ધરાવતા કોઈપણ પ્રકારના સફાઈ એજન્ટો આવતા નથી.” ઉપરાંત, તેમના ઘરમાંથી કોઈ કચરો બહાર જતો નથી. કચરામાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. વીણા બહેનનું કહેવું છે કે તે હાલમાં ‘પરમાકલ્ચર’ પદ્ધતિ પર કામ કરી રહી છે જેથી ભવિષ્યમાં તેને કોઈના પર નિર્ભર ન રહેવું પડે.

વીણા લાલની જીવનશૈલી અને તેનું ઘર આપણા બધા માટે પ્રેરણારૂપ છે. પરંતુ એ પણ સાચું છે કે ઘણા કારણોસર દરેક માટે આવા ફેરફારો કરવા શક્ય નથી. તેથી જ તે લોકોને માત્ર એક જ સલાહ આપે છે, “જો તમે ઘર બનાવી રહ્યા છો, તો કોશિસ કરો કે તમારા બાથરૂમ અને રસોડામાંથી નીકળતું પાણી કોઈ ગટર અથવા નાલીમાં જવાને બદલે તે તમારા પોતાના બગીચામાં અથવા કોઈપણ જાહેર બગીચામાં છે જાય અથવા તમે શોસ ખાડો બનાવી શકો છો જેથી આ પાણીનો ઉપયોગ ભૂગર્ભજળનું સ્તર વધારવા માટે કરી શકાય. હું દરેકને એટલું જ કહું છું કે તમારા ઘરમાં વધુમાં વધુ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો.”

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 1. અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી

2. દર ચોમાસામાં 3-4 લાખ લિટર પાણી જમીનમાં ઉતારે છે ડેડિયાપાડાનો આ યુવાન, અને વાવે છે 2 લાખ ઝાડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X