Search Icon
Nav Arrow
public place planting
public place planting

મંદિરમાં પડેલા ફૂલો અને પાંદડામાંથી ખાતર બનાવીને, જાહેર સ્થળોએ રોપે છે છોડ

દિલ્હીના દેવરાજ અગ્રવાલ, વ્યવસાયે વકીલ અને સાથે જ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે ભગવાનને ચડાવેલા મૃત પાંદડા અને ફૂલોનો સારો ઉપયોગ કરવા માટે રોપાઓ ઉગાડવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી તેમણે જાહેર સ્થળો અને ઉદ્યાનોમાં સેંકડો રોપાઓ રોપ્યા છે.

સામાન્ય રીતે ભગવાનની પૂજા માટે ફૂલો ચઢાવવામાં આવે છે. સાથે જ શ્રાવણ મહિનામાં બીલીપત્ર અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં જો તમે જોયું હોય તો, મૂર્તિને ફૂલો ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફૂલોનું શું થાય છે? થોડા સમય પછી તેઓ સુકાઈ જાય છે અને ફેંકી દેવામાં આવે છે. સાથે જ દરેક મંદિરમાં પીપળાનું વૃક્ષ પણ હોય છે, જેમાંથી દરરોજ ઘણાં પાંદડા પડે છે. આ પાંદડા કાં તો બળી જાય છે અથવા કચરામાં ફેંકવામાં આવે છે. પણ આ ફૂલોનો કચરો જમીનમાં ભળ્યા પછી થોડા સમય પછી જાતે નાશ પામે છે. પરંતુ આ માટે તેને જમીનમાં નાખવું ખૂબ જ જરૂરી છે.
દિલ્હી સ્થિત વકીલ દેવરાજ અગ્રવાલ ઘણા વર્ષોથી મંદિરની મુલાકાત લેતા હતા. ત્યાં આવા કચરામાં ફૂલો અને પાંદડા જતા જોઈને તેણે કંઈક નવું કરવાનું વિચાર્યું. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તે કહે છે, “હું દરરોજ જોતો હતો કે મંદિરના પરિસરમાં દરરોજ ઘણા પીપળાના પાન કચરામાં જાય છે. તે જ સમયે, મંદિરના પૂજારીઓ પણ ભગવાનને અર્પણ કરાયેલા ફૂલોથી પરેશાન હતા. ત્યારે જ મેં વિચાર્યું કે તેનો ઉપયોગ વૃક્ષો વાવવા માટે કેમ ન કરવો.

Clean and green environment

નકામા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા છોડ
દેવરાજે મંદિરના પ્રસાદવાળા ફળોના બીજ, કેરીની ગોટલીઓ અને ફૂલોને જમીનમાં ઉગાડીને જોયું. તેમણે જોયું કે ઘણા ફળો અને ફૂલના છોડ આરામથી વધવા લાગ્યા. આ પછી તેમણે આખા મંદિરના આંગણાને લીલુંછમ બનાવ્યું. આ રીતે ધીમે ધીમે મંદિરમાં તેની નાની નર્સરી શરૂ થઈ. છોડ રોપવા માટે તેઓ બહાથી કોઈ કુંડા પણ ખરીદતા નથી. તેના બદલે તેઓ ઘરમાં આવતી કચરાના પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ કરે છે, જેમ કે દૂધ, નમકીન અને રાશનના પાઉચ. તે કહે છે, “જ્યારે પણ મને કોઈ ડાળી કે બીજ મળે છે, ત્યારે હું તેને મંદિરમાં મારી નર્સરીમાં નાની પ્લાસ્ટિકની થેલીઓમાં રોપું છું, અને જ્યારે છોડ થોડો વધે છે, ત્યારે તે જમીનમાં રોપવામાં આવે છે. ઘણા લોકો અહીં આવે છે અને તેમની પસંદગીના છોડ લે છે.
દેવરાજ મોટેભાગે ફળ અને ફૂલના છોડ રોપતા હોય છે, કારણ કે તેમના બીજ સરળતાથી મળે છે. તે જાંબુ, કેરી, ચીકુ અને મેરીગોલ્ડના ફૂલો સહિત ઘણા વૃક્ષો અને છોડ રોપતા રહે છે. હવે તે આ છોડ ઉગાડવા માટે તેમના ઘરના ભીના કચરાનો પણ ઉપયોગ કરે છે.

dry leaves compost

જાહેર સ્થળોએ સેંકડો રોપાઓ રોપવામાં આવ્યા
દેવરાજના આ પ્રયાસોને જોઈને તેમના ઘણા મિત્રો પણ આ અભિયાનમાં તેમની સાથે જોડાયા. મંદિરના પુજારીઓ પણ તેમની નર્સરીમાં ગુલાબના ફૂલો વગેરે આપી જાય છે. તે જ સમયે, ઘણા લોકો રોપાઓ રોપવા માટે તેમને પ્લાસ્ટિકનો કચરો આપવા પણ આવે છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી લગભગ સો લોકો તેની સાથે જોડાયા છે. તે જ સમયે, આવા 15 લોકો છે જે મંદિરના નર્સરીમાં વિવિધ બગીચાઓ અથવા રસ્તાના કિનારે આ નાના છોડ રોપવામાં તેમની મદદ કરે છે. છેલ્લા બે વર્ષમાં, તેમણે વિવિધ જાહેર સ્થળોએ લગભગ 100 રોપાઓ વાવ્યા છે. આ સાથે તેમની સાથે વધુ 40 છોડ પણ તૈયાર છે.

dry leaves compost

દેવરાજ કહે છે, “અમે છોડની સંભાળ રાખીએ છીએ, તેને ઉગાડીએ છીએ અને પછી તેને કેટલાક પાર્કમાં અને રસ્તા પર રોપીએ છીએ. આ પછી પણ, અમે ધ્યાન આપીએ છીએ કે છોડ યોગ્ય રીતે ઉગે છે કે નહીં.

તેમણે આ કામને માં ભારતી શૃંગાર નામ આપ્યું છે. તે તેના જન્મદિવસ પર અથવા તેના પરિવારના સભ્યોના જન્મદિવસ પર લોકોને રોપા આપે છે. જેથી મહત્તમ હરિયાળી ફેલાય. તેમનું માનવું છે કે, “જેમ આપણી માતા આપણા જન્મ પર ખુશ છે, તેવી જ રીતે જ્યારે પૃથ્વી પર નવા છોડનો જન્મ થશે, ત્યારે માતા પૃથ્વી પણ ખુશ થશે. તેથી, પૃથ્વી માતાને હરિયાળી રાખવાની આપણી પણ જવાબદારી છે.

આગામી દિવસોમાં તેમનું લક્ષ્ય વધુને વધુ લોકોને આ અભિયાન સાથે જોડવાનું છે. જેથી વૃક્ષો વાવવા માટે બાયો વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરી શકાય.

એક નાનકડા વિચારથી જે શરૂ થયું તે હવે એક અભિયાન બની ગયું છે. જે અંતર્ગત આજે દેવરાજ અને તેમની ટીમ દિલ્હીને હરિયાળું બનાવવા માટે કામ કરી રહી છે.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon