Placeholder canvas

ધાબે વાવેલ અડેનિયમ, બોગનવેલ, ગુલાબ, ગેંદા, વૉટર લીલી જેવાં ફૂલોએ અપાવ્યા અનેક પુરસ્કાર

ધાબે વાવેલ અડેનિયમ, બોગનવેલ, ગુલાબ, ગેંદા, વૉટર લીલી જેવાં ફૂલોએ અપાવ્યા અનેક પુરસ્કાર

આ કપલે બાલ્કનીને બનાવી છે ઓક્સિજન ચેમ્બર, ઘરમાં લગાવ્યા છે 400થી વધારે કુંડા. જેમાં ફૂલોથી લઈને ફળો અને શાકભાજી બધુ જ વાવે છે ઑર્ગેનિક સ્ટાઇલમાં.

ઓડિશાના ભુવનેશ્વરમાં રહેતા જયંતી સાહુ અને ચિતરંજન સાહુ છેલ્લા 25 વર્ષથી તેમના ઘરે બાગકામ કરી રહ્યા છે. જયંતી ગૃહિણી છે અને ચિતરંજન બેંકમાંથી નિવૃત્ત છે. દંપતીએ તેમના ઘરને એક સુંદર બગીચામાં પરિવર્તિત કર્યું છે, જ્યાં તેઓ ફળો-ફૂલોથી લઈને લીલા શાકભાજી પણ ઉગાડે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા જયંતી કહે છે કે તેને બાગકામ માટે ખાસ પ્રેમ છે અને આ બાગકામને કારણે જ આજે શહેરમાં તેની એક અલગ ઓળખ છે. તેણીએ શહેરમાં આયોજિત બાગાયત સંબંધિત ઘણી સ્પર્ધાઓમાં સન્માન મેળવ્યા છે. પોતાની સફર વિશે વાત કરતા તેણે કહ્યું, “મારા પિતા હંમેશા પરિવાર માટે શાકભાજી ઉગાડતા હતા. હું હંમેશા તેમને કોઈને કોઈ છોડ વાવતા જોતી હતી. હું મારા પિતા પાસેથી બાગકામ કરતા શીખી.”

વિજ્ઞાનમાં સ્નાતક થયેલી જયંતી સાહુ, લગ્ન પછી, જ્યારે તે તેના સાસરે પહોંચી, ત્યારે તેણે જોયું કે આ ઘરમાં વધારે ખુલ્લી જગ્યા નથી. આવી સ્થિતિમાં તેને બાગકામ શક્ય ન લાગ્યું. પરંતુ એકવાર તે શહેરમાં એક ફૂલ મહોત્સવમાં ગઈ અને જોયું કે કેવી રીતે સુંદર ફૂલો નાના વાસણમાં લોકોએ રોપ્યા છે. આ પછી, તેણીએ નક્કી કર્યું કે તે કુંડામાં ટેરેસ પર બાગકામ કરશે. જયંતીના શોખને તેના પતિ ચિતરંજનનો પૂરેપૂરો ટેકો હતો. આ માટે તેણે સૌથી પહેલા પોતાના ઘરની છત તૈયાર કરી, જેથી બાગકામ કરવામાં કોઈ સમસ્યા ન આવે. તેઓએ ટેરેસ પર પોટ્સ મૂક્યા, ક્યારીઓ તૈયાર કરી.

“લગ્ન પછી ઘણી જવાબદારીઓ વધી જાય છે. પરિવારની સંભાળ, બાળકોનું શિક્ષણ, તેમની રમતગમત, બસ, મહિલાઓ આમાં મગ્ન થઈ જાય છે. હું પણ આ બધામાં વ્યસ્ત થઈ રહી હતી. પણ મેં મારો શોખ છોડ્યો નહીં, કારણ કે મને લાગ્યું કે જો હું બાગકામ કરીશ તો હું મારી જાતને થોડો સમય આપી શકીશ. તેથી મેં ધીરે ધીરે મારા ઘરમાં બધા કામની સાથે એક બગીચો તૈયાર કરવાનું શરૂ કર્યું,”જયંતીએ જણાવ્યુ.

Annual Flowering Plants

બગીચામાં લગાવ્યા અડેનિયમ, ગુલાબ, વોટર લિલી જેવા ફૂલો
ચિતરંજને જણાવ્યું કે તેમના ઘરમાં લગભગ 400 કુંડા છે અને તેમણે ઘણી જગ્યાએ ક્યારીઓ પણ બનાવી છે. તેના બગીચામાં 50 થી વધુ પ્રકારના ફૂલો લાગેલાં છે. તેથી જ તેના ઘરને ‘ફ્લાવર ગાર્ડન’ કહેવું ખોટું નહીં હોય. “અમારા બગીચામાં બોગેનવેલની 10 જાતો છે અને 25 પોટ્સમાં એડેનિયમ છે. ત્યાં 10 થી વધુ વોટર લિલી અને કમળના ફૂલો છે. આ સિવાય ઓર્કિડ, પેશન ફ્લાવર, ગુલાબ, જાસ્મીન, અપરાજિતા, મધુમાલતી, માલતી, અલમંદા, ક્લેમેટીસ, બ્રહ્મ કમલ વગેરે પણ વાવવામાં આવ્યા છે.”

વિવિધ પ્રકારના ફૂલોના છોડ વાવીને, જયંતિ અને ચિતરંજને શહેરમાં વાર્ષિક ફ્લાવર શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેને ઘણી સ્પર્ધાઓમાં પુરસ્કારો પણ મળ્યા છે. તેણે એક પલંગ બનાવ્યો અને મેરીગોલ્ડના છોડને એવી રીતે રોપ્યા કે ફૂલ આવ્યા બાદ તે રંગોળીથી કમ લાગતા ન હતા. ફૂલોના છોડ પછી, તેમણે ફળોના છોડ રોપવાનું શરૂ કર્યું.

છત પર ફળો લગાવવાનું સરળ નહોતું. આ કારણે છત પર વજન વધવાનો ભય હતો. આ માટે તેમણે એક અલગ રીતે કામ કર્યું. તેઓ મોટા પ્લાસ્ટિકના કન્ટેનરમાં માટી, ખાતર, કોકોપીટ અને સૂકા પાંદડાઓનું મિશ્રણ મૂકે છે. આ કારણે, છત પર વધારે વજન ન થાય અને છોડ પણ સારી રીતે વધવા લાગે.

તેમણે જામફળ, કેરી, ચીકુ, લીંબુ, અને પપૈયા જેવા રોપા રોપ્યા. તેઓ કહે છે, “અમારું ચીકુનું વૃક્ષ એટલું મોટું થઈ ગયું છે કે હવે તે ઘણાં ફળ આપે છે.”

Annual Flowering Plants

બાલ્કનીને બનાવી ઓક્સિજન ચેમ્બર
ચિતરંજન કહે છે કે તેમના ઘરની બાલ્કની તેમના માટે ઓક્સિજન ચેમ્બરથી કમ નથી. કારણ કે જયંતીએ બાલ્કનીમાં તમામ ફોલિએજ અને ઇન્ડોર છોડ રોપ્યા છે. તેમાં સ્નેક પ્લાન્ટ, ફિલોડેન્ડ્રોન, મોન્સ્ટેરા વગેરેનો સમાવેશ થાય છે. તેથી, બાલ્કનીમાં થોડો સમય બેસ્યા પછી, તેઓ સંપૂર્ણપણે તાજગી અનુભવે છે. સવારે અને સાંજે, દંપતી ચોક્કસપણે તેમની બાલ્કનીમાં કેટલીક ક્ષણો વિતાવે છે. ફળો, ફૂલો અને ફોલિએજ છોડ સાથે, તેઓ તેમના ઘર માટે ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડી રહ્યા છે.

Annual Flowering Plants

તે કહે છે, “અમે બગીચામાં માત્ર તે જ શાકભાજી રોપીએ છીએ, જે અમારા બાળકોને ખાવાનું ગમે છે. અમારા બગીચામાં અમે ભીંડા, રીંગણ, કાકડી, ચેરી ટમેટા, કોળું અને કઠોળ ઉગાડી રહ્યા છીએ. અમારે બજારમાંથી કેટલીક શાકભાજી ખરીદવી પડે છે. પરંતુ રસોડાની અડધાથી વધુ જરૂરિયાતો બગીચા દ્વારા પૂરી થાય છે. કેટલીકવાર કેટલીક શાકભાજી ખૂબ મોટી માત્રામાં થાય છે. આ વખતે ચેરી ટમેટાનું ઉત્પાદન વધુ હોવાથી અમે અમારા સંબંધીઓ અને પડોશીઓના ઘરે પણ પહોંચાડ્યા. આ રીતે, થોડી ભલે પરંતુ પરિવારના સભ્યો ઓર્ગેનિક શાકભાજી ખાવા માટે સક્ષમ છે.”

ખાસ કરીને તેમને લોકડાઉનમાં તેના બગીચામાંથી ઘણી મદદ મળી છે. તેમણે કહ્યું કે આ વખતે તેમણે શાકભાજીના ઘણા બીજ વાવ્યા જેથી કોરોનાના સમયગાળા દરમિયાન તેને વધારે બહાર ન જવું પડે.

Flower Gardening

જાતે બનાવે છે ખાતર
જયંતી કહે છે, “અમે ‘બગીચાથી રસોડું અને રસોડાથી બગીચા’ ની કલ્પનાને અનુસરીએ છીએ. અમે બધા ફળો અને શાકભાજીની છાલ એકત્રિત કરીએ છીએ અને ખાતરના ડબ્બામાં મૂકીએ છીએ. તેમાં થોડી માટી અને છાણ નાંખીએ છીએ. વળી, સૂકા પાંદડા જેવા બગીચામાંથી કચરો પણ તેમાં નાખવામાં આવે છે. ફક્ત આમાંથી તૈયાર થતું ખાતર, અમે અમારા છોડને આપીએ છીએ. આ સારું પરિણામ આપે છે. કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા નથી.”છોડને જંતુઓથી બચાવવા માટે તેઓ લીમડાનું તેલ છાંટે છે.

તેમણે કહ્યું કે, તેઓ એ વાતની રાહ જોતા નથીકે, છોડમાં કીડા પડે ત્યારે લીમડાનાં તેલનો સ્પ્રે કરે. તેના બદલે, તેઓ મહિનામાં એક કે બે વાર અગાઉથી સ્પ્રે કરે છે, જેથી કોઈ કીડા ન લાગે. “આમ અમારા બગીચામાં વધારે કીડા આવતા નથી. અમારા બધા છોડ સારી રીતે ઉગે છે,” તેમણે કહ્યું. તેમના ઘરના જૈવિક કચરા ઉપરાંત, તેઓ તેમની આસપાસ રહેલાં ઉંચા વૃક્ષોમાંથી પડતા સૂકા પાંદડા પણ એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે સફાઈ કામદારો શેરીઓમાંથી પાંદડા એકત્રિત કરે છે અને તેને બાળી નાખે છે. આ માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પરંતુ જ્યારે પણ દંપતીને તક મળે છે, ત્યારે તેઓ આ પાંદડા એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ તેમના ઘરમાં ખાતર બનાવવા માટે કરે છે.

YouTube player

એ જ રીતે, જો તેમને ક્યારેય શાકભાજી લેવા માટે બજારમાં જવું પડે, તો તેઓ શાકભાજી વેચનાર પાસેથી ડુંગળી અને લસણની બેકાર પડેલી છાલ પણ લાવે છે. આ છાલમાંથી તેઓ તેમના છોડ માટે પૌષ્ટિક ખાતરો અને કીટ પ્રતિરોધક બનાવે છે. આ રીતે તેમનો બગીચો દિવસે દિવસે ખીલતો જ જાય છે. અંતે તે કહે છે, “અમે જે શીખ્યા તે પ્રયોગો દ્વારા શીખ્યા છે. ઘણી વખત નિષ્ફળ ગયા, પણ હાર ન માની. હવે અમે ‘ટાવર ગાર્ડનિંગ’ જેવા વધુ પ્રયોગો કરી રહ્યા છીએ જેમાં ઓછી જગ્યામાં વધુ છોડ રોપવામાં આવે છે. અમે ‘વર્ટિકલ’ સ્થિતિમાં એક જ વાસણમાં શક્ય તેટલા ફૂલો રોપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણામાં સફળતા પણ મળી છે.”

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

વિડીયો સૌજન્ય: અંકિતા સાહૂ

આ પણ વાંચો: સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X