ગુજરાતમાં પ્રથમ મોટી સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેમની વસાહતો હડપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા પ્રદર્શિત કરે છે.
ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો હતો. બ્રિટિશ વસાહતી સમયગાળા દરમિયાન ગોથિક અને નિયોક્લાસિકલ સહિત યુરોપિયન શૈલીમાં ઇમારતો બાંધવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ઈન્ડો-સાર્સેનિક સ્થાપત્યનો પણ વિકાસ થયો હતો. 1947માં આઝાદી પછી ગુજરાતમાં આધુનિકતાવાદી સ્થાપત્ય જોવા મળે છે.
ગુજરાત રાજ્ય તેની મુલાકાત લેનારાઓ પર પ્રભાવશાળી અસર છોડે છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાંથી વ્યક્તિ તેની શૈલી, અવશેષો અને વારસામાંથી પ્રેરણા લઈ શકે છે. ગુજરાત જીવંત રંગો અને સુંદર સંસ્કૃતિનું રાજ્ય છે. પરંપરાગત ગુજરાતી સજાવટમાં લાકડાની કોતરણીનો સમાવેશ થાય છે જે પ્રેમાળ લોકકથાઓ અને ધાર્મિક દંતકથાઓની સમજ આપે છે. આ તત્વો ગુજરાતી ઘરના આંતરિક ભાગ તરીકે સુંદર રીતે સમાવિષ્ટ છે. ગુજરાતી ઘરની દિવાલો, છત અને સ્ક્રીનો પર અસંખ્ય ડિઝાઈન જોઈ શકાય છે જે ગુજરાતી પ્રજાના રંગીન મિજાજનું એક રીતે પ્રદર્શન જ કરે છે.
ગુજરાતી ઘરની મુખ્ય વિશેષતાઓમાંની એક એ છે કે વિવિધ પ્રકારના મોટિફ્સ અને સ્થાનિક કલાત્મક છાપને તેની આંતરીક ડિઝાઇનમાં સમાવિષ્ટ કરાય છે. માત્ર લાકડા અને પથ્થરની કોતરણીના રૂપમાં જ નહીં, પણ તેમના ફર્નિશિંગમાં, દિવાલ અને ફર્નિચરના ચિત્રો વગેરેમાં પણ એક છાપ તરીકે ઉભરી આવે છે.
હિન્દૂ, જૈન અને મુસ્લિમો સાથે રાજપૂતાના, મરાઠા અને વૈષ્ણવ કુળોની વિવિધ સંસ્કૃતિઓથી મિશ્રિત ગુજરાતનો પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ છે. આ ઘરોની ડિઝાઇન અને પેટર્ન એ હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સુંદર અને ભવ્ય સમન્વય છે જે રાજ્યમાં પ્રચલિત છે.
જો તમે ગુજરાતી ઘરની મુલાકાત લો છો, તો તમને ચોક્કસ પરંપરાગત પરિભાષાઓ અને સ્થાનિક શબ્દોનો પરિચય કરાવવામાં આવશે જે વંશીય ઘરની સજાવટ અને ડિઝાઇન વિશે પણ સારી સમજ આપે છે.

તમે ઘરમાં પ્રવેશતાની સાથે જ, પ્રવેશદ્વાર દ્વારા તમારું સ્વાગત કરવામાં આવે છે, રંગબેરંગી સીડીઓથી સુશોભિત પ્લિન્થ પર સેટ કરવામાં આવે છે, જેને પરંપરાગત રીતે ઓટલા કહેવામાં આવે છે. ઓટલા એક અદભૂત પ્રવેશદ્વાર છે જે સામાજિક મેળાવડા દરમિયાન અથવા સાંજના સમયે જ્યારે કુટુંબના સભ્યો ભેગા થાય છે ત્યારે એક મંડળની બેઠક તરીકે ઉપયોગમાં લેવાય છે.
આગળની જગ્યા એ ઘરના પ્રવેશ અને અંદરના ઓરડાઓ વચ્ચેની બફર જગ્યા છે. આને બેઠક અથવા મહેમાનોના સ્વાગત માટે એક પ્રકારનો સ્વાગત કક્ષ કહેવામાં આવે છે. આ બેઠકમાં એવા મુલાકાતીઓ કે જેમને ઘરની અંદરની જગ્યામાં લઈ જવા માટે આવશ્યકતા ના હોય તો તેમને બેઠકમાં બેસાડી મહેમાનગતિ કરવામાં આવે છે. આ બેઠક સુંદર લાકડાના હસ્તકલાથી શણગારવામાં આવે છે.
ચોકને અડીને અલાયદી જગ્યાઓમાં – પૂજા પાઠની જગ્યા, રસોડું, અને પાણિયારું હોય છે. આ ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રણેય પરંપરાગત ગુજરાતી ઘર માટે ખૂબ જ પવિત્ર મૂલ્ય ધરાવે છે અને તેને પવિત્ર માનવામાં આવે છે.
મોટા ભાગના ગુજરાતીઓ બિઝનેસમેન હોવાથી, તેમના રૂમ પણ તેમના વર્કસ્પેસની ગોપનીયતા પ્રમાણે ઢાળના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વધુ ખાનગી ઓફિસોને ઉપરના માળે ફાળવવામાં આવી હતી.

પરંપરાગત ગુજરાતી શણગાર ગામઠી છે, કુદરતથી પ્રેરિત છે. ગુજરાત વધુ શુષ્ક પ્રદેશ હોવાથી, સામાન્ય ગુજરાતી ઘરમાં પ્રકાશ અને વેન્ટિલેશનને વધારે મહત્વ આપવામાં આવે છે. જ્યારે જગ્યાની ઉપયોગિતા અને તેના રંગો સાથે સમાધાન કર્યા વિના ગરમીને દૂર રાખવામાં આવે છે. અમદાવાદની પરંપરાગત પોળોનાં ઘરોમાં જાળી વર્કનો ઉપયોગ ખૂબ જ પ્રખ્યાત છે, જે ઉનાળાના ગરમ હવા સામે અવરોધ તરીકે કામ કરે છે.
પરંપરાગત ગુજરાતી ઘરના બાંધકામ તેમજ સુશોભન માટે મુખ્યત્વે લાકડા પર જ આધાર રહે છે. લાકડું મુખ્ય તત્વ છે, કારણ કે તેની સાથે માળખું બનાવવું માત્ર સરળ નથી, પણ પરંપરાગત ઉદ્દેશો કોતરવામાં પણ શ્રેષ્ઠ છે. તદુપરાંત, ગુજરાતની સૂકી અને ગરમ આબોહવાની પરિસ્થિતિઓ માટે, લાકડું શ્રેષ્ઠ વિકલ્પ છે.
ગુજરાતી માટીકામને પણ ભૂલવું જોઈએ નહીં. જે સિંધુ ખીણની સંસ્કૃતિથી અસ્તિત્વમાં છે, જો તમે માટીનું કંઈક સમાવિષ્ટ કરવા અને તમારી જગ્યા સાથે વધુ જોડાણ અનુભવવા માંગતા હોવ તો માટીકામ પણ એક સરસ વિચાર છે.
આમ અત્યારના સમયમાં આવા પરંપરાગત ગુજરાતી ઘરો એ જે તે સમયના સુવર્ણ ઇતિહાસના એક પાના સમાન છે અને આપણે પણ એવો પ્રયત્ન જરૂરથી કરવો જોઈએ કે આવા પાનાઓ કોઈ દિવસ ઇતિહાસમાં વિલુપ્ત ન થાય. ધ બેટર ઇન્ડિયા ગુજરાતના લોકોને આ લેખ દ્વારા બસ એટલું જ કહેવા માંગે છે કે આધુનિક બાંધકામ કરો પરંતુ પરંપરાગત રીતે જ જેથી પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય તમારા પૈસા પણ બચે અને સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન પણ થાય.
જો તમને પ્રશ્ન હોય કે તમારે પરંપરાગત રીતનું ઘર આજના જમાના પ્રમાણેની આધુનિકતામાં ઢાળીને કંઈ રીતે બનાવવું તો તેના જવાબ માટે અહીંયા ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સૌર ઉર્જાથી ચાલતું આ મશીન એક દિવસમાં ડિસ્પોઝ કરે છે 200 પેડ્સ, બચાવશે પર્યાવરણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો