Search Icon
Nav Arrow
Aubergine Benefits
Aubergine Benefits

રીંગણ નથી નગુણાં, વજન ઘટાડવાથી લઈને ઘણી બીમારીઓ રોકવામાં કરશે મદદ

વજન ઘટાડવાથી લઈને અલ્ઝાઈમને રોકવા સુધીના અઢળક ફાયદા આપે છે રીંગણ.

રીંગણાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક તેને વાંગી અને બદને કાઈ કહે છે, કેટલાક બેગન, કેટલાક રીંગણ, એગપ્લાન્ટ અથવા ઓબર્ગીન કહે છે. તેના જેટલા નામ છે, તેટલી જ વાનગીઓ અને તેનાથી થતા ફાયદાઓ પણ છે. ઘણી વખત આપણે રીંગણાને ગુણો વગરનું શાક કહીએ છીએ. પણ ખરા અર્થમાં તે ગુણોની ખાણ છે. આપણા કરતાં આપણા દાદી-નાની વધુ સારી રીતે જાણતા હતા. એટલે જ તેમનો શાકભાજી પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. આજે રીંગણના આ ગુણધર્મો પણ વિજ્ઞાન દ્વારા સ્વીકારવામાં આવ્યા છે.

રીંગણા ભારતીય-ચાઇનીઝ મૂળનું શાક છે, જે આજે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ખાવામાં આવે છે. તે ખાસ કરીને ટ્રોપિકલ અને સબ-ટ્રોપિકલ વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. લગભગ 300 ઈસા પૂર્વેની આસપાસ ભારતીય પ્રદેશમાં રીંગણા ઉગાડવાનું શરૂ થયું. પ્રાચીન શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પછી તે ચીન, જાપાન, યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં ગયા.

Aubergine Benefits

વજન ઘટાડવામાં મદદ કરે છે

તમે રીંગણાનાં ઈતિહાસ વિશે સારી રીતે વાકેફ થઈ ગયા હશો. હવે આના ફાયદા વિશે વાત કરીએ. વજન ઘટાડવું હોય કે કોઈ માનસિક બીમારી હોય, અથવા હૃદય સંબંધિત સમસ્યા હોય, આવી દરેક સમસ્યામાં રીંગણા ફાયદો આપે છે. તે ક્રોનિક રોગોને ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં ઘણાં ખનિજો અને વિટામિન્સ હોય છે. આ ઉપરાંત, તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાયોએક્ટિવ કંપાઉન્ડ પણ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે.

બેંગલ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબરવાળી શાકભાજી છે, જે આપણું મેટાબોલિઝમ વધારે છે. એટલે કે, તમે તેને વજન ઘટાડવા માટે એક આદર્શ શાકભાજી કહી શકો છો. 100 ગ્રામ રીંગણમાં 15 ગ્રામ કેલરી, 0.9 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ચરબી, 2.2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 2.7 ગ્રામ ફાઈબર હોય છે.

આ સિવાય રીંગણામાંથી પોલીફેનોલ પણ મળે છે. તે બોડી માસ અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ અંગે કરવામાં આવેલ સંશોધન સૂચવે છે કે ચાર સપ્તાહ સુધી રીંગણનું સેવન કરવાથી વજનમાં ઘટાડો જોવા મળ્યો છે.

નાસિકમાં ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ ડૉ. કરિશ્મા પટેલ જણાવે છે, “રીંગણામાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેનો મતલબ છેકે, જ્યારે આપણે રીંગણા ખાઈએ છીએ, તો તે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અહેસાસ કરાવે છે અને આપણને જલ્દી ભૂખ લાગતી નથી.”

તે આગળ કહે છે, “રીંગણમાં જટિલ ખાંડ હોય છે, જે વજન વધતું અટકાવે છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ હોતું નથી, તેથી તેની શરીર પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.”

આંતરડા ફ્રેન્ડલી

શાકભાજીમાં ક્લોરોજેનિક એસિડ અને એન્થોસાયનિન કંપાઉન્ડ જોવા મળે છે, જે એન્ટીઓક્સીડેન્ટ, કેન્સર વિરોધી, એન્ટી માઇક્રોબાયલ, ડાયાબિટીસ વિરોધી અને ન્યુરોપ્રોટેક્ટીવ એજન્ટ તરીકે કામ કરે છે. એન્થોસાયનિન સામાન્ય રીતે શાકભાજી અને ફળોની સ્કિન્સમાં જોવા મળે છે.

વિજ્ઞાન કહે છે કે એન્ટીઑકિસડન્ટોના સેવનથી કેન્સરની શક્યતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત, ઘણા અભ્યાસો સૂચવે છે કે રીંગણામાં બર્ન્સ, મસાઓ અને અન્ય સોજાનાં રોગો, જેમ કે સ્ટોમેટાઈટિસ અને ગેસ્ટ્રાઇટિસ પર રોગનિવારક અસર કરે છે.

 Brinjal For Health

માનસિક બીમારી અને અલ્ઝાઇમરને રોકવામાં મદદરૂપ

સંશોધન સૂચવે છે કે એન્ટીઓકિસડન્ટોનો અભાવ શરીરની સંરક્ષણ પ્રણાલી પર પ્રતિકૂળ અસર કરે છે. આ ઓક્સિડેટીવ તણાવ તરફ દોરી જાય છે અને મૂડ સ્વિંગનું કારણ પણ છે. લીલા, જાંબલી અને અન્ય ઘણા રંગોમાં જોવા મળતા આ શાકભાજીમાં એન્ટીઑકિસડન્ટ ભરપુર માત્રામાં હોય છે, જે આપણને ચિંતા અને હતાશા જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે. રીંગણા થોડા અઠવાડિયામાં આ લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ઓક્સિડેટીવ તણાવને કારણે અલ્ઝાઇમર જેવા ન્યુરોડીજનરેટિવ રોગો થવા લાગે છે. પરંતુ રીંગણામાં જોવા મળતા વિટામિન સી અને ઇનો ખાવામાં સમાવેશ કરીને આ જોખમ ઘટાડી શકાય છે.

આ સિવાય હૃદયની બીમારીઓ સામાન્ય રીતે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને કારણે થાય છે. રીંગણામાં હાજર એન્થોસાયનિન શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

જો તમને એલર્જી હોય તો કાળજીપૂર્વક ખાઓ

ઘણા ફાયદાઓ પછી પણ, નિષ્ણાતો ચેતવણી આપે છે કે રીંગણ કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. પુણે સ્થિત ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ગીતા ધર્મતી કહે છે, “રીંગણાનો સંબંધ નાઇટશેડ પરિવારથી છે, કારણ કે તેમાં સેપોનિન હોય છે અને તે વ્યક્તિમાં સ્વયં-રોગપ્રતિકારક રોગો અથવા સોજાને ટ્રિગર કરી શકે છે.”

ગીતાના જણાવ્યા મુજબ, જે લોકોને એલર્જી છે, તેઓએ થોડી કાળજી રાખીને રીંગણા ખાવા જોઈએ કારણ કે તેનાથી રેશિઝ કે ખંજવાળ પણ થઈ શકે છે. ડૉ. કરિશ્મા કહે છે કે, જે લોકો ગઠિયા રોગો સામે ઝઝૂમી રહ્યા છે, રીંગણા આવા રોગીઓના દર્દ અને સાજાને વધારે વધારી શકે છે. જેમને કિડનીમાં પથરીની ફરિયાદ હોય, તેમણે પણ રીંગણ ટાળવા જોઈએ, કારણ કે તેમાં જોવા મળતું ઓક્સલેટ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

 Brinjal For Health

અહીં અમે રીંગણાની તંદુરસ્ત રેસીપી શેર કરી રહ્યા છીએ, જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો-

ગ્રિલ્ડ રીંગણાનું સલાડ

સર્વિંગ – બે વ્યક્તિઓ માટે

કેલેરી – એક સર્વિંગમાં 75 કેલેરી

સામગ્રી:-

એક મધ્યમ કદનું રીંગણ લો. તેને જેવું ઈચ્છો એવું લાંબુ અથવા પહોળાઈમાં કાપો. પરંતુ જાડાઈ ½ ઇંચથી વધુ ન હોવી જોઈએ.

એક ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ.

થોડું દરિયાઈ મીઠું અને તાજં પીસેલું બ્લેક પેપર.

અડધા સમારેલા ટામેટાં (એક નાનો બાઉલ).

¼ કટોરી કાપેલાં પાર્સલે.

એક ચમચી લીંબુનો રસ

સલાડ કેવી રીતે બનાવવું?

એક ગ્રીલ પેન ગરમ કરો. રીંગણાના ટુકડાઓની બંને બાજુ બ્રશ વડે ઓલિવનું તેલ લગાવો. હવે તેના પર મીઠું અને મરી નાંખો. લગભગ 5-6 મિનિટ માટે મધ્યમ તાપ પર રીંગણાને હળવા ફ્રાય કરો. એક બાઉલમાં રીંગણા કાઢી લો. તેમાં સમારેલા ટામેટાં, પાર્સલે અને લીંબુનો રસ નાંખો અને મિક્સ કરો. મીઠું અને મરી મિક્સ કરીને ટૉસ કરો.

મૂળ લેખ: હિમાંશૂ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગાંધીજીના સ્વદેશીપ્રેમને આગળ વધાર્યો આ 5 ગુજરાતીઓની કંપનીઓએ, આજે દેશ-વિદેશમાં કરે છે રાજ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon