Placeholder canvas

ઇકો-ફ્રેન્ડલી ઘર દર વર્ષ બચાવે છે હજારો લિટર પાણી, ઉનાળામાં પણ રહે છે એકદમ ઠંડુ

ઇકો-ફ્રેન્ડલી ઘર દર વર્ષ બચાવે છે હજારો લિટર પાણી, ઉનાળામાં પણ રહે છે એકદમ ઠંડુ

બેંગલુરુ સ્થિત buildAHome દ્વારા આથનગુડી ટાઇલ્સ અને પોરોથર્મ બ્લોક્સ જેવી સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવામાં આવ્યું છે, તથા તેમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ ઓછો કર્યો છે, આ ઘર ઉનાળામાં કુદરતી રીતે ઠંડુ રહે છે અને દર વર્ષે હજારો લિટર પાણીની બચત પણ કરે છે.

જ્યારે ટર્નકી હોમ કન્સ્ટ્રક્શન સેવાઓ પહોંચાડતી બેંગલુરુ સ્થિત કંપની buildAHome ના CEO અભિજિત આર પ્રિયને સપ્ટેમ્બર 2016માં તેમનું સાહસ શરૂ કર્યું ત્યારે તેમના મગજમાં એક જ વાત હતી.

અપ્રમાણિક કોન્ટ્રાક્ટરો અથવા આર્કિટેક્ટના વ્યાપને જોતાં તથા તેમની જવાબદારીઓ પૂરી કર્યા વિના વધુ પડતા પૈસા લેનારાઓને ધ્યાનમાં રાખીને તેમનો ઉદ્દેશ્ય શરૂઆતમાં નિર્ધારિત સમયમર્યાદામાં અને નક્કી થયલે કિંમત પર જ ગ્રાહકો માટે ઘરો તૈયાર કરવાનો હતો.

જો કે, તેમના સાહસમાં માંડ એક કે બે વર્ષમાં અભિજીતે પોતાના ગ્રાહકો માટે ઘર બાંધવામાં સ્ટીલ અને સિમેન્ટના વધુ પડતા ઉપયોગથી ઉત્ત્પન્ન થયેલ કાર્બન ઉત્સર્જનની તીવ્ર માત્રાને ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું, અને નક્કી કર્યું કે તેમના આ સાહસની દિશામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

“એકવાર મેં બેંગલુરુમાં સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી. જ્યારે હું પ્લાન્ટની નજીક પહોંચતો હતો ત્યારે પણ, હું જોઈ શકતો હતો કે તેનાથી કેટલું પ્રદૂષણ થાય છે. તેનાથી મને વિચાર આવ્યો કે શું આપણે ઘરો બાંધવા માટે વપરાતા સ્ટીલ અને સિમેન્ટની માત્રાને ઘટાડી શકીએ ? બીજું કારણ કે જેણે મને પર્યાવરણને અનુકૂળ ઘરો બનાવવાનું શરૂ કરવા પ્રોત્સાહિત કર્યો તે એ હતું કે દરવાજા, બારીઓ વગેરે માટે કપાતા વૃક્ષો. 3,000 ચોરસ ફૂટના ઘર માટે, તમારે ઓછામાં ઓછા બે મોટા વૃક્ષો કાપી નાખવા પડશે. મારો ઉછેર બેંગલુરુમાં થયો હતો, જે એક સમયે ગાર્ડન સિટી તરીકે ઓળખાતું હતું, પરંતુ હું જોઉં છું કે આજે, તે વ્યાપક રીતે થતાં વૃક્ષોના નુકશાનથી પીડાય છે. ટકાઉ મકાનો બનાવવા માટે તે મારી સૌથી મોટી પ્રેરણા બની.

અભિજિત ધ બેટર ઇન્ડિયાને કહે છે, અત્યાર સુધીમાં, કંપનીએ સમગ્ર કર્ણાટક અને તમિલનાડુમાં લગભગ 400 ઘરો બનાવ્યા છે, જેમાં ઇકો-ફ્રેન્ડલી અથવા ટકાઉ ઘરોનો સમાવેશ થાય છે. તેમના સાહસે 2018 માં ઉર્વી નામના કર્ણાટકના મેંગલુરુમાં લંડન સ્થિત ક્લાયન્ટ માટે તેમનું પ્રથમ ઘર બનાવવાનું શરૂ કર્યું. ઉર્વીની પાછળ અભિજિત અને તેમની આર્કિટેક્ટ્સ તથા એન્જિનિયરોની ટીમે જે પહેલું કામ કર્યું તે સિમેન્ટ બ્લોક્સને પોરોથર્મ સાથે બદલવાનું કર્યું- માટીની બનેલી હોલો બ્લોક વૉલિંગ સિસ્ટમ જે ઈંટ જેટલી જ કાર્યક્ષમ છે. આ પોરોથર્મ બ્લોક્સ આડા અથવા ઊભી રીતે છિદ્રિત માટીના બ્લોક્સ છે. તેઓ કુદરતી માટી, કોલસાની રાખ, ચોખાની ભૂકી અને ગ્રેનાઈટ સ્લરીથી બનેલા છે અને તેમની થર્મલ ઇન્સ્યુલેશન લાક્ષણિકતાઓને કારણે પોરોથર્મ કહેવાય છે.

બ્લોકની છિદ્રતા એક અસાધારણ વોલિંગ સિસ્ટમ પ્રદાન કરે છે જે થર્મલ ઇન્સ્યુલેશનની સુવિધા આપે છે, જેના પરિણામે ગરમીની ઋતુમાં આંતરિક ઠંડી અને ઠંડીની ઋતુમાં ઇકો-ફ્રેન્ડલી ઘર દર વર્ષ બચાવે છે 40 હજાર લિટર પાણી, ઉનાળામાં પણ રહે છે કુદરતી રીતે ઠંડુ બેંગલુરુ સ્થિત buildAHome દ્વારા આથનગુડી ટાઇલ્સ અને પોરોથર્મ બ્લોક્સ જેવી સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવામાં આવ્યું છે, તથા તેમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ ઓછો કર્યો છે, આ ઘર ઉનાળામાં કુદરતી રીતે ઠંડુ રહે છે અને દર વર્ષે હજારો લિટર પાણીની બચત પણ કરે છે.

જ્યારે ટર્નકી હોમ કન્સ્ટ્રક્શન સેવાઓ પહોંચાડતી બેંગલુરુ સ્થિત કંપની buildAHome ના CEO અભિજિત આર પ્રિયને સપ્ટેમ્બર 2016માં તેમનું સાહસ શરૂ કર્યું ત્યારે તેમના મગજમાં એક જ વાત હતી.

અપ્રમાણિક કોન્ટ્રાક્ટરો અથવા આર્કિટેક્ટના વ્યાપને જોતાં, તેમની જવાબદારીઓ પૂરી કર્યા વિના વધુ પડતા પૈસા લેનારાઓને ધ્યાનમાં રાખીને, તેમનો ઉદ્દેશ્ય શરૂઆતમાં નિર્ધારિત સમયમર્યાદામાં અને નક્કી થયલે કિંમત પર ગ્રાહકો માટે ઘરો તૈયાર કરવાનો હતો.

જો કે, તેના સાહસમાં માંડ એક કે બે વર્ષમાં અભિજીતે પોતાના ગ્રાહકો માટે ઘર બાંધવામાં સ્ટીલ અને સિમેન્ટના વધુ પડતા ઉપયોગથી ઉત્ત્પન્ન થયેલ કાર્બન ઉત્સર્જનની તીવ્ર માત્રાને ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું, અને નક્કી કર્યું કે તેના સાહસની દિશામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

“એકવાર મેં બેંગલુરુમાં સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી. જ્યારે હું પ્લાન્ટની નજીક પહોંચતો હતો ત્યારે પણ, હું જોઈ શકતો હતો કે તેનાથી કેટલું પ્રદૂષણ થાય છે. તેનાથી મને વિચાર આવ્યો કે શું આપણે ઘરો બાંધવા માટે વપરાતા સ્ટીલ અને સિમેન્ટની માત્રાને ઘટાડી શકીએ? બીજું કારણ કે જેણે મને પર્યાવરણને અનુકૂળ ઘરો બનાવવાનું શરૂ કરવા પ્રોત્સાહિત કર્યો તે હતું દરવાજા, બારીઓ વગેરે માટે કપાતા વૃક્ષો. 3,000 ચોરસ ફૂટના ઘર માટે, તમારે ઓછામાં ઓછા બે મોટા વૃક્ષો કાપી નાખવા પડશે. મારો ઉછેર બેંગલુરુમાં થયો હતો, જે એક સમયે ગાર્ડન સિટી તરીકે ઓળખાતું હતું, પરંતુ હું જોઉં છું કે આજે, તે વ્યાપક રીતે થતાં વૃક્ષોના નુકશાનથી પીડાય છે. ટકાઉ મકાનો બનાવવા માટે તે મારી સૌથી મોટી પ્રેરણા હતી.

Eco Friendly Architecture

અભિજિત ધ બેટર ઇન્ડિયાને કહે છે, અત્યાર સુધીમાં, કંપનીએ સમગ્ર કર્ણાટક અને તમિલનાડુમાં લગભગ 400 ઘરો બનાવ્યા છે, જેમાં ઇકો-ફ્રેન્ડલી અથવા ટકાઉ ઘરોનો સમાવેશ થાય છે. તેમના સાહસે 2018 માં ઉર્વી નામના કર્ણાટકના મેંગલુરુમાં લંડન સ્થિત ક્લાયન્ટ માટે તેમનું પ્રથમ ઘર બનાવવાનું શરૂ કર્યું.
ઉર્વીની પાછળ અભિજિત અને તેની આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરોની ટીમે જે પહેલું કામ કર્યું તે સિમેન્ટ બ્લોક્સને પોરોથર્મ સાથે બદલવામાં આવ્યું – માટીની બનેલી હોલો બ્લોક વૉલિંગ સિસ્ટમ જે પ્રમાણભૂત ઈંટ જેટલી જ કાર્યક્ષમ છે. આ પોરોથર્મ બ્લોક્સ આડા અથવા ઊભી રીતે છિદ્રિત માટીના બ્લોક્સ છે. તેઓ કુદરતી માટી, કોલસાની રાખ, ચોખાની ભૂકી અને ગ્રેનાઈટ સ્લરીથી બનેલા છે અને તેમની થર્મલ ઇન્સ્યુલેશન લાક્ષણિકતાઓને કારણે પોરોથર્મ કહેવાય છે.

બ્લોકનું છિદ્ર એક અસાધારણ વોલિંગ સિસ્ટમ પ્રદાન કરે છે જે થર્મલ ઇન્સ્યુલેશનની સુવિધા આપે છે, જેના પરિણામે ગરમીની ઋતુમાં આંતરિક ઠંડી અને ઠંડીની ઋતુમાં આંતરિક ગરમ સ્થિતિમાં પરિણમે છે. તેથી પોરોથર્મ બ્લોક્સ વાપરવા માટે સરળ, આર્થિક અને પર્યાવરણને અનુકૂળ છે.

દરવાજા અને બારીઓ માટે, અભિજિત અને તેમની ટીમે તોડી પાડવામાં આવેલા મકાનોમાંથી લાકડાનો ઉપયોગ કર્યો હતો. આ ઘર બનાવવા માટે એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું ન હતું અને તેઓ પરંપરાગત ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેના કરતા લગભગ 55% ઓછા સિમેન્ટ અને 35% ઓછા સ્ટીલનો ઉપયોગ કર્યો હતો.

ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવું
ઉર્વી અને અન્ય પ્રોજેક્ટના સાક્ષી, બેંગલુરુમાં રહેતા કેરળના દંત ચિકિત્સક ડૉ. સુનજીવ શિવરામને ગયા વર્ષે buildAHome નો સંપર્ક કરવાનું નક્કી કર્યું જ્યાં તે અને તેમના ભાઈ રહી શકે. 14 મહિના દરમિયાન કંપનીએ શહેરના જલાહલ્લી વિસ્તારમાં કુલ 4,500 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે તેમના ત્રણ માળનું ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવ્યું, જેની કિંમત 70 લાખ રૂ જેટલી છે.

ઉર્વીની જેમ જ, અભિજિત અને તેમની ટીમે પણ અહીં પોરોથર્મ બ્લોક્સ કાર્યરત કરવાનું નક્કી કર્યું. પરંતુ તે પરંપરાગત મકાન સામગ્રી કરતાં વધુ ઇન્સ્યુલેશન કેવી રીતે પ્રદાન કરે છે?

તેનું નામ જે છે તેમ જ, તે છિદ્રાળુ છે. આ ઘરના તમામ ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ પાસાઓ ખૂબ જ પ્રાથમિક છે. પોરોથર્મ બ્લોક્સ એ સરળ સિદ્ધાંત પર કામ કરે છે કે નક્કર સામગ્રી કરતાં વેક્યૂમને ગરમ થવામાં વધુ સમય લાગે છે. બાહ્ય દિવાલો પર, buildAHome એ આઠ-ઇંચના પોરોથર્મ બ્લોકનો ઉપયોગ કર્યો હતો, જે ત્રણ છિદ્રો સાથે આવે છે. સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી (નવ કલાક), બ્લોકની બાહ્ય સપાટી ગરમ થાય છે, જે બદલામાં શૂન્યાવકાશને ગરમ કરે છે, અને આ લગભગ ત્રણ વખત થાય છે. જ્યારે ગરમી ઘરમાં પ્રવેશે છે અથવા ઓરડાના તાપમાને જાય છે, ત્યારે સાંજ થઈ ગઈ હોય છે ત્યારે બાહ્ય તાપમાન બહારના બ્લોક્સની સપાટીને ઠંડુ કરતું હોય છે.

અભિજીત સમજાવે છે કે,”આ રીતે અમે ઘરની અંદર આસપાસના તાપમાનને જાળવી રાખવામાં સક્ષમ છીએ. એકવાર તમે એવા ઘરમાં રહો કે જ્યાં દિવાલો પોરોથર્મ બ્લોક્સથી બનેલી હોય, તો તમારે ચોક્કસપણે ઉનાળામાં ACની જરૂર નથી અથવા બેંગલુરુ અને મેંગલુરુ જેવા શહેરોમાં શિયાળા દરમિયાન હીટરની જરૂર નથી.”

આગળ તે ઉમેરે છે કે,”ફક્ત આસપાસના તાપમાનની જાળવણી એ માત્ર પોરોથર્મ બ્લોક્સનો ઉપયોગ કરવાનું પરિણામ નથી. આખી ડિઝાઇન ઘરની અંદરની આસપાસના તાપમાનને જાળવવામાં ભૂમિકા ભજવે છે. “બેંગલુરુ જેવી જગ્યાએ, તમારે પંખાની પણ જરૂર નથી. ઉનાળા દરમિયાન, ઘરનું આસપાસનું તાપમાન લગભગ 25 થી 26 ડિગ્રી સેલ્સિયસ હશે.”

વધુમાં , પોરોથર્મની દિવાલોને બાહ્ય રીતે પ્લાસ્ટર કર્યા વિના ખુલ્લી છોડી દેવામાં આવે છે. આ પગલાથી ઘરના માલિકોને સિમેન્ટ અને રેતીની ઘણી બચત થાય છે. જો કે, આ એક એવી પ્રક્રિયા છે જેમાં ખૂબ જ આંતરિક કાર્યની જરૂર હોય છે જે ફક્ત નિષ્ણાતો જ હાથ ધરી શકે છે, નિષ્ણાતો સિવાય આ કરવું જોઈએ નહીં.

અભિજિતનું સાહસ તેમના પોરોથર્મ બ્લોક્સ સીધા જ જર્મન કંપની વિનરબર્ગર નામની કંપની પાસેથી મેળવે છે, જે આ ઈંટો ભારતમાં તેમજ કુનિગલમાં બનાવે છે, જે બેંગલુરુથી લગભગ 70 કિમી દૂર છે. તેમની પાસે તમિલનાડુમાં પણ બીજું ઉત્પાદન એકમ છે.

વધુમાં, પોરોથર્મ બ્લોક્સ પરંપરાગત વૉલિંગ સામગ્રી કરતાં 60% હળવા હોય છે, જે માળખાકીય ખર્ચ અને બાંધકામની ઝડપી ગતિ પર નોંધપાત્ર બચત આપે છે. આ બ્લોક્સમાં ઉચ્ચ સંકુચિત શક્તિ અને “લાંબી શેલ્ફ લાઇફ” પણ છે.

ગોઇંગ વર્નાક્યુલર
ડૉ. સંજીવના ઘરના બાંધકામમાં વપરાતી બીજી નોંધપાત્ર સામગ્રી અથાનગુડી ટાઇલ્સ છે. આ ઇકો-ફ્રેન્ડલી હાથથી બનાવેલી ફ્લોર ટાઇલ્સ છે જે સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રી જેમ કે રેતી, સિમેન્ટ અને કુદરતી રીતે બનતા ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે. તે કુદરતી રીતે રંગીન છે અને લગભગ 45 દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે અને તેમના મશીન સંકુચિત સંસ્કરણોથી વિપરીત સીધી સાઇટ પર ઉપયોગમાં લેવાય છે.

“અમે બેંગલુરુ નજીક મંજુનાથ ફ્લોરિંગ નામના વિક્રેતા પાસેથી આ હાથ બનાવટની ટાઇલ્સ મેળવીએ છીએ. અત્યાર સુધી, અમે ત્યાંથી લગભગ સાત પ્રોજેક્ટ્સ માટે ટાઇલ્સ મેળવી છે. તેઓ અમને ઘણી બધી ડિઝાઇન અને કસ્ટમાઇઝેશન સાથેની ટાઇલ્સ પણ આપી રહ્યા છે.

આ ટાઇલ્સની પસંદગી દરમિયાન, અમે અમારા ગ્રાહકોને યાર્ડમાં જ લઈ જઈએ છીએ. અમે તેમને બતાવીએ છીએ કે આ ટાઇલ્સ કેવી રીતે બનાવવામાં આવે છે. તેથી, જો કોઈ તમારા ઘરે આવે અને તેના વિશે પૂછે, તો તમે તેમને જવાબ આપવા સક્ષમ હોવા જોઈએ,” આર્કિટેક્ટ આશિકા સલિયન કહે છે, જેઓ buildAHome સાથે ત્રણ વર્ષથી વધુ સમયથી પર્યાવરણને અનુકૂળ ઘરો ડિઝાઇન કરી રહ્યાં છે.
આ ટાઇલ્સ સમય =ની સાથે પોલિશ મેળવે છે અને સમયાંતરે ચમકે છે.

“જાળવણી માટે, તમારે એક વર્ષથી વધુ સમય માટે નાળિયેર તેલના ટીપાંથી ફ્લોરને સાફ કરવું પડશે, જેથી તે ટાઇલની ચમકને સમૃદ્ધ બનાવે. ખર્ચની દ્રષ્ટિએ, અથાનગુડી ટાઇલ્સ ખૂબ જ સસ્તી છે. તેઓ પ્રતિ ચોરસ ફૂટ રૂ. 55 અને 70 વચ્ચેની રેન્જમાં આવે છે. જો તમે પરંપરાગત વિટ્રિફાઇડ ટાઇલ્સ માટે જાઓ છો, તો તેની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 90 થી રૂ. 100 છે. છેલ્લે, આ ટાઇલ્સ ખૂબ જ ઘરગથ્થુ અને ધરતી જેવી જ લાગે છે. અથાંગુડી ટાઇલ્સ સ્થાનિક રીતે સ્થાયી થયેલા લોકોને સ્થાનિક આર્કિટેક્ચર તરફ ઝુકાવ અને તે ચોક્કસ વિસ્તારમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રોજગાર પણ પ્રદાન કરે છે,” આશિકા સમજાવે છે.

પોરોથર્મ બ્લોક્સ ઉપરાંત, buildAHome સ્ક્રીનીંગ હેતુઓ માટે જાલી બ્લોક્સનો પણ ઉપયોગ કર્યો છે. જાલી એ છિદ્રિત અથવા જાળીવાળી સ્ક્રીન માટેનો શબ્દ છે, સામાન્ય રીતે સુલેખન અને ભૂમિતિના ઉપયોગ દ્વારા બનાવવામાં આવેલ સુશોભન પેટર્ન સાથેની તે છે.

જાળી દિવાલ સામગ્રીની પણ બચત કરે છે અને બાંધકામની ઝડપ વધારે છે. “જ્યારે નક્કર દિવાલોની કોઈ ચોક્કસ આવશ્યકતા નથી, ત્યારે જાળી દિવાલનો ઉપયોગ કરવાથી વધારાના ફાયદા મળે છે. તે એક સુશોભિત, છતાં કાર્યાત્મક બ્લોક છે જે સૂર્યના તાપથી ઉત્તમ રક્ષણ પૂરું પાડે છે, તે જ સમયે પવનને પસાર થવા દે છે,” અભિજિત કહે છે.

આગળ સારા પ્રકાશ અને ક્રોસ વેન્ટિલેશનને પ્રોત્સાહન આપવા માટે ઘરમાં પહોળા ઓપનિંગ્સ, સીલિંગ પંચર અને સ્કાઈલાઈટ્સનો ઉપયોગ કર્યો છે, જેથી બદલામાં પાવરનો વપરાશ ઘટે છે. અલબત્ત, કોઈ પણ ઈકો-ફ્રેન્ડલી ઘર રેઈન વોટર હાર્વેસ્ટિંગ ટાંકી અને રિચાર્જ પિટ વિના પૂર્ણ થતું નથી. ડૉ. સંજીવના ઘરે, આ સિસ્ટમ દર વર્ષે લગભગ 40,000 લિટર પાણીની બચત કરે છે, સાથે સાથે ભૂગર્ભ જળના સ્તરને વધારવામાં પણ મદદ કરે છે, જેને જાળવવા માટે બાકીનું શહેર સંઘર્ષ કરી રહ્યું છે.

થર્મલ ઇન્સ્યુલેશનમાં સુધારો કરવા અને સ્લેબમાં કોંક્રીટનો ઉપયોગ ઘટાડવા જે બીજી વસ્તુ કરી છે તે છે છતમાં ફિલર સામગ્રીનો ઉપયોગ.

Eco Friendly Architecture

“30-40 વર્ષ પાછળ જઈએ તો, જ્યારે આપણે ગામડાઓમાં ઘરો બનાવ્યા, ત્યારે લાકડાના બીમ સાથે ઢાળવાળી છત હતી. પરંતુ કોંક્રિટ અને સ્ટીલના આગમનથી તે પ્રથા અદૃશ્ય થઈ ગઈ છે. છતના કોંક્રીટમાં જ, અમે પીવીસી અથવા કાચના બ્લોક્સ જેવા ઓપનિંગ્સ રાખવાનો પ્રયાસ કરીએ છીએ, જે લિવિંગ રૂમ અથવા બેડરૂમમાં પ્રકાશને આવવા દે છે અને તમે તેને તમને જોઈતી પેટર્નમાં આકાર આપી શકો છો. તે ઘરના સૌંદર્યમાં પણ વધારો કરે છે,” તે ઉમેરે છે.

 આશિકા કહે છે કે,“છેવટે, અમે અહીં લેમિનેટેડ વુડન ફ્લોરિંગ કર્યું છે, જે WPC (વુડ પોલિમર કમ્પોઝિટ) થી બનેલું છે. WPC હાલના પ્લાયવુડ અથવા કૃષિ કચરાના અવશેષોથી બનેલું છે, જે ઉધઈને અનુકૂળ અને હવામાનને અનુકૂળ છે. સામાન્ય લાકડું કોમ્પ્રેસ, પરંતુ આ WPC અથવા UPVC વિભાગોમાં (વિન્ડો માટે), આવી કોઈ જાળવણીની સમસ્યાઓ નથી. પાંચ કે છ વર્ષ પછી સ્કીર્ટિંગને નુકસાન થવાથી તમારી પાસે માત્ર એક જ પ્રકારની જાળવણીની સમસ્યા હશે, પરંતુ તે કોઈપણ પ્રકારના ફ્લોરિંગ જેટલું સારું છે. લાકડાની સરખામણીમાં આમાં વધુ સારા સાઉન્ડ પ્રૂફ ગુણો પણ છે.”

આ ઘરમાં સિમેન્ટનો વપરાશ ફક્ત પોરોથર્મ બ્લોક્સ અથવા અન્ય ઇકો-ફ્રેન્ડલી બ્લોક્સ વચ્ચેના સાંધા માટે છે, પરંતુ ફ્લોરિંગ જેવી વસ્તુઓ માટે, તમારી પાસે સિમેન્ટની ન્યૂનતમ જરૂરિયાત હશે. તે જરૂરી નથી કે સિમેન્ટ નકારાત્મક વસ્તુ હોય. આ સમયે, અમે એક ઘર બનાવી શકીએ છીએ જેમાં સિમેન્ટનો બિલકુલ ઉપયોગ થતો નથી, પરંતુ તે તમારા છતના ઘાટ જેવી સરળ વસ્તુ માટે વ્યવહારુ નથી, જે સિમેન્ટથી બનેલું હોવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, તે જરૂરી છે, પરંતુ અમે બાંધકામમાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે ઘટાડી શકીએ છીએ.”

જો તમે આ અંગે વધુ માહિતી ઈચ્છતા હોવ તો તેમની વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો, અથવા તેમને buildwithus@buildahome.in પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: Rinchen Norbu Wangchuk

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગુજરાતનું એક વિસરાયેલું ગામ, જેણે ભારતની ટેલિવિઝન ક્રાંતિમાં ભજવી છે મોટી ભૂમિકા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X